ઓનલાઇન વજન ઘટાડવાની દવા મંગાવવી આ યુવકને પડ્યું ભારે! મળ્યું મોત, જો-જો ક્યાંક તમે તો...

ઓનલાઇન વજન ઘટાડવાની દવા મંગાવવી આ યુવકને પડ્યું ભારે! મળ્યું મોત, જો-જો ક્યાંક તમે તો...

લોકો પોતાના વધેલા વજનને ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. આ ઉપાયોમાં વજન ઘટાડવાની દવાઓ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આ દવાઓ જીવલેણ પણ બની શકે છે. આ દવાઓના સેવનથી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તાજેતરનો મામલો ચેન્નાઈના તાંબરમથી સામે આવ્યો છે. બુધવારે કથિત રીતે વજન ઘટાડવાની ગોળીઓ ખાવાથી અહીં 21 વર્ષીય યુવકનું મોત થયું હતું.

વજન ઘટાડવાની દવાઓથી લથડી યુવકની તબીયત
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીપેરુમ્બુદુર પાસે સોમંગલમમાં રહેતો સૂર્ય નામનો યુવક એક ખાનગી દૂધની દુકાનમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે તેના મિત્રો તેની સ્થૂળતાની મજાક ઉડાવતા હતા. આ કારણે તેણે ગોળીઓ ખાઈને વજન ઘટાડવાનું નક્કી કર્યું.

પરંતુ પ્રસ્ક્રિપ્શન વગર વજન ઘટાડવાની ગોળીઓ તેના મૃત્યુનું કારણ બની. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે ખાનગી કંપનીના અધિકારીઓને દવાઓના ડોઝ અને સામગ્રી વિશે પૂછપરછ માટે બોલાવ્યા છે.

યુવકે ઓનલાઈન ખરીદી હતી ગોળીયો
પોલીસના જણાવ્યા અનુસાર સૂર્ય વજન ઘટાડવા માટે ડોકટરો અને સ્થાનિક ચિકિત્સકોની સલાહ લઈ રહ્યો હતો અને તેના મિત્રના સૂચન અને ઓનલાઈન બ્રાઉઝિંગની મદદથી કર્યા પછી તેણે 22 ડિસેમ્બરથી વજન ઘટાડવાની ગોળીઓ લેવાનું શરૂ કર્યું. તેણે ઓનલાઈન ગોળીઓ ખરીદી હતી અને 10 દિવસમાં ઘણું વજન ઘટાડ્યું હતું, પરંતુ ગોળીઓના કારણે તે ખૂબ જ નબળો પડી ગયો હતો.

સારવાર દરમિયાન થયુ યુવકનું મોત
નવા વર્ષના દિવસે સૂર્યા ગંભીર રીતે બીમાર પડ્યો હતો અને તેને ગંભીર હાલતમાં રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો.

પરંતુ સારવારના અભાવે મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યાના પિતા પલયમની ફરિયાદના આધારે સોમંગલમ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow