ખડગેને હરાવનારને જ ટિકિટ અપાઇ

ખડગેને હરાવનારને જ ટિકિટ અપાઇ

કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે ત્યારે કોંગ્રેસે ગુરુવારે 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં સૌથી ચર્ચાસ્પદ નામ ગુરમિટકલ બેઠકના બાબુરાવ ચિંચનસુરનું છે. બાબુરાવ ગયા મહિને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જીવનમાં પ્રથમ રાજકીય હાર અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ગુરમિટકલ કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વની બેઠક છે કારણ કે ખડગે અહીંથી સતત આઠ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બાબુરાવ સિવાય ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય એન.વાય. ગોપાલકૃષ્ણને મોલાકલમુરુની બેઠક મળી છે. જેડીએસમાંથી ચાર વખત હાંકી કઢાયેલા ધારાસભ્ય એસ.આર. શ્રીનિવાસને ગુબ્બીથી ટિકિટ અપાઈ છે.

આ યાદીમાં અમુક પૂર્વ મંત્રીના નામ પણ છે, જે ગઇ ચૂંટણીમાં હાર્યા હતા. પૂર્વ સીએમ ધરમસિંહના પુત્ર વિજય સિંહને બસવકલ્યાણ બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે, જ્યારે કોંગ્રેસે પ્રથમ યાદીમાં વિજયના ભાઈ અજય ધરમ સિંહને જેવરગી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow