ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત

ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત

સુરતના પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકો બાઈક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થતા બે યુવકો બ્રીજ પરથી આશરે 15 ફૂટ નીચે પટકાયા હતા. જેમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે એક યુવક હાલમાં સારવાર હેઠળ છે. બંને યુવકો મૂળ બંગાળના વતની હતા.4 દિવસ પહેલા જ સુરત ખાતે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાલ ઉમરા બ્રિજ અકસ્માતમાં એકનું મોત
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બંને યુવકોને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકનો કુરચો વળી ગયો હતો. તેમજ બાઈકના જાણે બે ટુકડા થઇ ગયા હોય તેમ સ્ટીયરીંગ પણ અલગ થઇ ગયું હતું. આ ઘટનામાં બંને યુવકો 15 ફૂટ બ્રિજ નીચે પટકાયા હતા. જેથી સારવાર માટે બંનેને 108 મારફતેથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે.

બંનેયુવકો ચાર દિવસ પહેલા જ સુરત આવ્યા હતા
સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ એક યુવકનું નામ ખલીલુર રહેમાન અને બીજા યુવકનું નામ તુરબ અલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બંને યુવકો મૂળ બંગાળના વતની હતા. 13 એપ્રિલના રોજ એટલે કે 4 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. સુરતમાં તેઓ એકલા રહેતા હતા. બંનેના પરિવાર બંગાળ ખાતે રહે છે.

બાંધકામ સાઈટ પર કામ કરતા હતા
મળતી માહિતી મુજબ બંને યુવકો પીપલોદ સ્થિત એક બાંધકામ સાઈટ પર કામ કરતા હતા. ત્યાં નજીક જ રહેતા હતા. આ બંને યુવકો પૈકી તુરબ અલી પોતાના ભાઈની બાઈક લઈને પાલથી ઉમરા બ્રિજ મારફતે આવી રહ્યા હતા. દરમ્યાન ઉમરા તરફ બ્રિજના છેડે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તુરબ અલીનું મોત નીપજ્યું હતું. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને લઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેનું મોતની નીપજ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow