ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત, 1 વ્યક્તિને ઇજા

ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત, 1 વ્યક્તિને ઇજા

શહેરની ભાગોળે ખોખડદળ પુલ અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ટ્રકે ડબલસવારી બાઇકને ઠોકરે ચડાવતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સુપેડી ગામે રહેતો નિરવ રાજેશભાઇ કુબાવત નામનો યુવાન કુવાડવા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હોય સોમવારે સવારે તે બાઇક લઇને નોકરીએ જવા નીકળ્યો હતો.

ગોંડલ રોડ ચોકડીએ પહોંચતા કંપનીમાં સાથે નોકરી કરતા નવાગામના અજય વિનોદભાઇ સરવૈયાને બાઇકમાં બેસાડી બંને કુવાડવા જવા નીકળ્યા હતા. દરમિયાન ખોખડદળ નદીના પુલ પર પહોંચતા પૂરઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારી હતી. જેને કારણે બંને યુવાન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. સવારે અકસ્માતના બનાવને પગલે અન્ય વાહનોના પૈડાં થંભી ગયા હતા. અને અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં નિરવને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

જયારે અજયને સારવાર માટે દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત અજયની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. પોસ્ટ વિભાગમાં નોકરી કરતા રાજેશભાઇને સંતાનમાં બે પુત્ર પૈકી નિરવ મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર, પુત્રી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow