આ મહાશિવરાત્રિ પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર બદામની ઠંડાઈ, શરીરમાં નહી લાગે એનર્જીની કમી

આ મહાશિવરાત્રિ પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર બદામની ઠંડાઈ, શરીરમાં નહી લાગે એનર્જીની કમી

મહાશિવરાત્રિના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શંકરના ભક્તો આ તહેવારને ખુબ જ ધુમધામથી મનાવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબરુઆરી ના રોજ મનાવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન શંકરની ભાવથી પૂજા કરે છે,  

ઉપવાસ રાખે છે. ફળાહાર અને ઠંડાઈ  પર જ લોકો આખો દિવસ ઉપવાસ કરે છે. એવામાં અમે આજ તમારાં માટે બદામની ઠંડાઈ બનાવવાની રેસિપી લઈને આવયા છીએ. બદામમાં હેલ્થી ફેટ, વિટામિન, ફાઈબર, મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ હોય છે. એટલે જ આ સ્વાદિષ્ટ ઠંડાઈ પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. તો ચાલો જાણીએ આ ઠંડાઈ બનાવવાની રીત.

બદામની ઠંડાઈ બનાવવા માટે જોઈતી સામગ્રી

  1. દૂધ 1 લીટર
  2. સૌફ એક ચમચી
    3.ખસખસ એક ચમચી
  3. બદામ 12
  4. એલચી 3
  5. ખાંડ 2 ચમચી

આવી રીતે બનાવો બદામની ઠંડાઈ
બદામની ઠંડાઈ બનાવવા માટે સૌપ્રથમ એક પૈનમાં દુધ લઈ તેને થોડો સમય માટે ઉકળવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને 5 મિનીટ માટે પાકવા દો. ત્યારબાદ 2-3 કલાક સુધી પાણીમાં પલાળેલા બદામને છિણી ગ્રાઈન્ડરમાં પિસી તેનો પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને દુધમાં નાખી વ્યવસ્થીત રીતે મિક્સ કરી લેવાનું. જયાં સુધી દુધ અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવાં દો. ત્યારબાદ આ ઠંડાઈને ફ્રિજમાં ઠંડી થવા મુકી દો. હવે તમારી ઠંડાઈ તૈયાર છે. તમે આને બદામ અથવા અન્ય કોઈ ડ્રાઈફ્રૂટ દ્વારા ગાર્નિશ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow