સગીરાના જન્મદિને ધરારપ્રેમી ગિફ્ટનો થેલો મૂકી ગયો

સગીરાના જન્મદિને ધરારપ્રેમી ગિફ્ટનો થેલો મૂકી ગયો

શહેરના ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ પાછળના ખોડિયારનગરમાં રહેતી સગીરાના એકતરફી પ્રેમીએ છેલ્લા આઠ મહિનાથી શરૂ કરેલા ત્રાસથી સગીરાના પરિવારજનો પરેશાન થઇ ગયા છે, બબ્બે વખત જાણ કરવા છતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરાવીને રવાના કરતાં એકતરફી પ્રેમી બેફામ થયો હતો અને સગીરાના જન્મ દિવસની રાત્રીના તેના ઘર પાસે ઢગલાબંધ ગિફ્ટ મૂકીને જતો રહ્યો હતો.

ખોડિયારનગરમાં રહેતો વેપારીએ પરિવારજનોને આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, તેમની પુત્રીનો ગત તા.4ના જન્મદિવસ હતો, તે દિવસે તે 18 વર્ષની થઇ, છેલ્લા આઠેક મહિનાથી તેમની આ સગીરવયની પુત્રીને રણુજા મંદિર પાસે રહેતો ધ્રુવ મકવાણા પરેશાન કરે છે, સગીરા ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી કોલેજે અભ્યાસ માટે જાય છે ત્યારે ધ્રુવ કોલેજ પાસે અગાઉથી ફોર વ્હિલ લઇને ઊભો રહી જાય છે અને સગીરાને સંબંધ રાખવા બળજબરી કરે છે, ધ્રુવના ત્રાસ અંગે સગીરાએ પરિવારજનોને કહેતા સગીરાને તેનો નાનોભાઇ કોલેજે મૂકવા જવા લાગ્યો હતો.

તો ધ્રુવે તેના ભાઇને ધમકાવ્યો હતો અને દરરોજ સાંજ પડતાં ધ્રુવ સગીરાના ઘર પાસે ચક્કર મારવા લાગે છે, પંદર દિવસ પૂર્વે ઘર પાસે આંટા મારતો હતો ત્યારે સગીરાના પરિવારજનોએ ફોન કરતા માલવિયાનગર પોલીસ પહોંચી હતી, પોલીસ પહોંચે તે પહેલા ધ્રુવ નાસી ગયો હતો અને સગીરા તથા તેના પરિવારજનોના નિવેદનો નોંધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી, આવું જ વધુએક વખત 181ની ટીમે કર્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow