કારતક વદમાં પડતી ચતુર્થીએ ગણાધિપરૂપમાં કરો ગણેશપૂજા

કારતક વદમાં પડતી ચતુર્થીએ ગણાધિપરૂપમાં કરો ગણેશપૂજા

12મી નવેમ્બરે કારતક વદ પક્ષની સંકટ ચોથ છે. કારતક વદમાં પડતી ચોથમાં ગણાધિપ રૂપમાં ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ તિથિએ ગણેશજીની વિશેષ પૂજાની સાથે જ વ્રત રાખવાથી પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે.

સંકટ કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. નામ પ્રમાણે જ આ વ્રત હોય છે અર્થાત્ બધા કષ્ટોને હરનારું વ્રત. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશજીની આરાધના અને વ્રત કરવાથી બધા પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. સંકષ્ટી ચતુર્થી વ્રત પરણિતાઓ પતિની લાંબી ઉંમર અને સૌભાગ્યવૃદ્ધિ માટે કરે છે, તો કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વ્રત રાખી સાંજે ભગવાન ગણેશજીની પૂજા કરતી હોય છે.​​​​​​​

વ્રત વિધિઃ ફળાહાર અને દૂધ જ લઈ શકાય છે

સૂર્યોદય પહેલાં ઊઠીને ન્હાઈ લેવું અને સૂર્યને જળ ચઢાવ્યા પછી ભગવાન ગણેશના દર્શન કરવા. ગણેશજીની મૂર્તિની સામે બેસીને દિવસભર વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. આ વ્રતમાં આખો દિવસ ફળ અને દૂધ જ લઈ શકાય છે. અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. આ પ્રકારે વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશજીની પૂજા સવારે અને સાંજે અર્થાત્ બંને સમયે કરવી જોઈએચ. સાંજે ચંદ્નને અર્ઘ્ય આપ્યા પછી વ્રત પૂરું કરવું.​​​​​​​

પૂજા વિધિઃ પહેલાં ગણેશ પૂજા પછી ચંદ્રને અર્ઘ્ય

​​​​​​પૂજા માટે પૂર્વ-ઉત્તર દિશામાં ચોકી સ્થાપિત કરો અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ચોકી ઉપર લાલ અને પીળા રંગનું કપડું પાથરી દો. ગણેશજીની મૂર્તિ પર જળ, અક્ષત, દૂર્વા ઘાસ, લાડુ, પાન, ધૂપ વગેરે અર્પિત કરો.

અક્ષત અને ફલ લઈ ગણપતિ સામે પોતાની મનોકામનાઓ રજૂ કરો અને ત્યારબાદ ऊँ गं गणपतये नम: મંત્ર બોલીને પ્રણામ કર્યા પછી આરતી કરો. ત્યારબાદ ચંદ્રને મધ, ચંદન, રોલી મિશ્રિત દૂધથી અર્ઘ્ય આપો, પૂજા પછી લાડુ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow