હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

ભારતીય સેનાની ભોજનની થાળીમાં આશરે 50 વર્ષ બાદ મોટા ફેરફાર કરવાની તૈયારી કરાઇ છે. પહેલી એપ્રિલથી તમામ યુનિટોમાં આની શરૂઆત થવા જઇ રહી છે. હાલ જવાનો અને અધિકારીઓની થાળીમાં બરછટ અનાજ (મિલેટ)નું પ્રમાણ 25 ટકા રહેશે. બાદમાં તેમાં ક્રમશ વધારો કરવાની પણ યોજના છે. સેનાનાં આદેશ મુજબ, બાજરી, જુવાર અને રાગીનાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. સારા પરિણામ મળ્યા બાદ અન્ય અનાજ પણ સામેલ કરવામાં આવશે.

હાલમાં થાળીમાં બાકી 75 ટકા પરંપરાગત અનાજ એટલે કે ઘઉં અને ચોખા રહેશે. સેનાનાં તમામ કાર્યક્રમ, મોટા ભોજન અને કેન્ટીનમાં બરછટ અનાજનો ઉપયોગ કરવો પડશે. છાવણી વિસ્તારમાં આવેલી કેન્ટીનોમાં આના માટે અલગ કાઉન્ટર રહેશે.સેનાનાં પ્રવકતા કર્નલ અમિતાભ શર્માએ કહ્યું હતું કે, જવાનો અને અધિકારીઓને પોતાના ઘરમાં પણ બરછટ અનાજનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન અપાશે. સેના બાદ અર્ધલશ્કરી દળોમાં પણ આ વ્યવસ્થા અમલી કરાશે.

ઘઉં કરતા વધુ પૌષ્ટિક: ડાયટિશિયન દિવ્યા બાવાનાં કહેવા મુજબ બરછટ અનાજમાં ભરપૂર મિલરલ્સ હોય છે. આનાથી પાચન ક્રિયા મજબૂત બને છે. નિયમિત ઉપયોગથી શુગર કાબુમાં રહે છે. મહત્તમ અને લઘુતમ તાપમાનનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow