હવે દાગીના બનાવવાનું માંડી વાળજો ! અમદાવાદમાં સોનું ખરીદી શકાય તેવું ન રહ્યું, રેકોર્ડબ્રેક વધારો

હવે દાગીના બનાવવાનું માંડી વાળજો ! અમદાવાદમાં સોનું ખરીદી શકાય તેવું ન રહ્યું, રેકોર્ડબ્રેક વધારો

પીળી ધાતુની ચમક વધુ ઘેરી બની છે. લાગે છે કે હવે લોકોએ સોનાનો મોહ છોડી દેવા જેવો છે. સોનુ સામાન્ય માનવીને પકડમાંથી દૂર ને દૂર જઈ રહ્યું છે અને હવે લેવાય નહી તેવી હાલતમાં પહોંચ્યું છે.

અમદાવાદમાં સોનાનો રેકોર્ડબ્રેક ભાવ
બે દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવ અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે. 1800 રુપિયાના વધારા સાથે 10 ગ્રામ (એક તોલું) સોનાનો ભાવ 58,000 ની નજીક પહોંચ્યું છે.  

હવે ઘરેણા બનાવવાનું મોઘું
સોનાના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા ઘરેણા બનાવવાનું પણ મોંઘું થશે. આગામી સમયામાં લગ્નની સિઝન પણ આવી રહી છે.    

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે "યુ.એસ.ની નોકરીઓ, નોન-ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછા આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે કિંમતોમાં તેજી જોવા મળી હતી.  

જેના કારણે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને કારણે સોનામાં સેફ હેવન રોકાણ વધ્યું છે.  

તદુપરાંત, ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે."  


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "રોકાણકારો રોકાણ કરવા માટે ડિપ્સની દેખરેખ રાખે છે. સ્થાનિક બજારમાં ભાવ વધુ વધીને રૂ.૬૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ટોચે પહોંચવાની ધારણા છે.

લગ્નસરાની સિઝનમા હજુ વધશે ભાવ
આગામી સમયમાં લગ્નની સિઝન આવી રહી છે અને ભાવમાં હજુ વધારાની આશા છે.  

જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ (JAA)ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે “ઉંચી કિંમતો આવનારા દિવસોમાં મુખ્ય અવરોધક બની રહેશે.  

લગ્નની વ્યસ્ત સિઝનને કારણે સોનાની માંગ વધુ રહેવાની ધારણા છે. જો કે, આટલા ઊંચા ભાવ ગ્રાહકોને પરવડી ન શકે અને તેઓ જુના સોનાને બદલે નવું સોનું લઈ રહ્યાં છે.

સસ્તું સોનું ખરીદવાનો ઉપાય
ખૂબ મોંઘું થવાને કારણે સોનું ખરીદાય તેવું રહ્યું નથી પરંતુ તેને બદલે એક વિકલ્પ એવો છે કે લોકો તેમની પાસે રહેલું જુનુ સોનું કાઢીને તેની સામે જેટલું પણ નવું સોનું આવે તે લઈને કામ ચલાવી રહ્યાં છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow