હવે ઈલેક્ટ્રિક વાહનો ઝડપી મુસાફરીની સાથે ઘરને પણ પ્રકાશિત કરશે

હવે ઈલેક્ટ્રિક વાહનો ઝડપી મુસાફરીની સાથે ઘરને પણ પ્રકાશિત કરશે

વાવાઝોડું કે વરસાદ પડતાં જ ઘરોમાં વીજ‌ળી ડૂલ થશે તેવો ભય બધાને સતાવતો હોય છે. પરંતુ હવે ઈલેક્ટ્રિક વાહનો લોકોનાં ઘરોમાં રોશની કરવામાં પણ મદદ કરશે. અમેરિકાના નેશવિલથી લગભગ 30 કિમી દૂર ઈલેક્ટ્રિક પિકઅપ ટ્રક દ્વારા ઘરને ઝળહળતું કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ શક્ય છે કારણ કે ત્યાં કામ કરતા લોકો ઘરમાં લાઇટ માટે ઇલેક્ટ્રિક વાહનની બેટરીનો ઉપયોગ કરે છે.

ઊર્જા અને ઓટો નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષોમાં ઘણા લોકો ઇલેક્ટ્રિક વાહનોનો આ રીતે ઉપયોગ કરશે. બીજી તરફ ઓટો અને એનર્જી કંપનીઓના લોકો ઇલેક્ટ્રિક કારને વધુ મહત્ત્વ આપી રહ્યા છે કારણ કે તેઓ ડ્રાઇવિંગ કરતાં ઊર્જાનો ઉપયોગ વધુ સરળ બનાવ્યો છે.

ઘણી વખત હીટવેવ, વાવાઝોડાં-પૂર જેવી કુદરતી આફતો ‌વખતે વીજપ્રવાાહ ખોરવાઇ જતો હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મોંઘા જનરેટર અથવા ઘરની સોલાર અને બેટરી સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય છે. એક ટ્રક દ્વારા ઘરમાં લાઇટ તેમજ ચાર ફ્રીજ અને એક પંખો ચલાવવા માટે પૂરતી વીજળી પૂરી પાડી શકાય છે. જોકે એર કન્ડિશનિંગ માટે પૂરતી વીજળી આપી શકાતી નથી. અન્ય વસ્તુઓ માટે પૂરતી વીજળી પૂરી પાડી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના વધુ ઉપયોગથી ઘરોમાં નવીનીકરણીય ઊર્જાનો વધુ ઉપયોગ થશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow