વર્લ્ડ કપમાં પિચ પર વધુ ઘાસ રાખવાની સૂચના

વર્લ્ડ કપમાં પિચ પર વધુ ઘાસ રાખવાની સૂચના

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી વન-ડે વર્લ્ડ કપ માટે વિવિધ સ્થળોના ક્યુરેટર્સ માટે એક 'પ્રોટોકોલ' તૈયાર કર્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના ઘણા ભાગોમાં ઝાકળ પડે છે, જેના કારણે ટૉસની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. ICCએ આ પગલું ટૉસની ભૂમિકાને અમુક હદ સુધી અસરકારક બનાવવા માટે ઉઠાવ્યું છે.

ICCએ ક્યુરેટર્સને પિચ પર વધુ ઘાસ છોડવા કહ્યું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, ભારતીય પિચ સામાન્ય રીતે સ્પિન માટે વધુ અનુકૂળ હોય છે, પરંતુ ICCએ ક્યુરેટર્સને પિચ પર વધુ ઘાસ છોડવા કહ્યું છે, જેથી ઝડપી બોલરો પણ મેચમાં રહી શકે. આનો અર્થ એ થશે કે ટીમ પ્લેઇંગ-11માં વધુ ઝડપી બોલરોને તક આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, 2021માં UAEમાં યોજાનારા T20 વર્લ્ડ કપને પણ ઝાકળથી ખૂબ અસર થઈ હતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને ઘણો ફાયદો થયો હતો.

એક સોર્સે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'ઉત્તર, પશ્ચિમ અને પૂર્વીય રાજ્યોમાં વર્ષના આ સમયે ભારે ઝાકળ જોવા મળશે. ચેન્નઈ અને બેંગલુરુમાં યોજાનારી મેચમાં વરસાદની સંભાવના છે. સ્પિનરોના પ્રદર્શન પર ઝાકળની ભારે અસર પડે છે. તેથી વધુ ઘાસ સાથે, ટીમે સ્પિનરો પર વધુ આધાર રાખવો પડશે નહીં.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow