બાંગ્લાદેશ સામે રોસોયુએ 56 બોલ પર બનાવ્યા 109 રન

બાંગ્લાદેશ સામે રોસોયુએ 56 બોલ પર બનાવ્યા 109 રન

સાઉથ આફ્રિકાના બેટર રિલી રોસોયુએ T20 વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશની સામે ગુરુવારે રમાયેલી સુપર-12 ગ્રુપની ગ્રુપ-1ની મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

રિલી રોસોયુએ 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. T20 વર્લ્ડ કપના અત્યાર સુધીના ઈતિહાસમાં આ 10મી સદી છે. અત્યાર સુધીમાં 9 બેટર્સએ મળીને આ 10 સદી ફટકારી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે બે સદી ફટકારી છે.

રોસોયુ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ સાઉથ આફ્રિકાનો પ્લેયર બની ગયો છે. તેના પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (2 સદી), ભારતના સુરેશ રૈના, શ્રીલંકાના મહેલા જયવર્ધને, ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેકુલમ, ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ, પાકિસ્તાનના અહેમદ શહઝાદ, બાંગ્લાદેશના તમીમ ઈકબાલ અને ઈંગ્લેન્ડની જોસ બટલર આ ટૂર્નામેન્ટમાં જુદી-જુદી એડિશનમાં સદી ફટકારી ચૂક્યા છે.

રોસોયુની છેલ્લી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચમાં બીજી સદી છે. તેણે વર્લ્ડ કપ પહેલા ભારત સાથે રમાયેલી ત્રણ-20 મેચ સીરીઝની છેલ્લી મેચમાં 48 બોલમાં અણનમ સદી ફટકારી હતી. આ T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે સાઉથ આફ્રિકાની પ્રથમ મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. ત્યારે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow