ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 21 રને હરાવ્યું

ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 21 રને હરાવ્યું

આજે ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની પહેલી મેચ રમાઈ ગઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 21 રને જીત મેળવી હતી. કિવી ટીમે આપેલા 177 રનના ટાર્ગેટની સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 155 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડના બોલર્સે શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ ટીમના ટૉપ-ઑર્ડરને આઉટ કર્યા હતા. એક તબક્કે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરે 3 વિકેટે 15 રન હતો. જોકે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ટીમની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. જોકે સૂર્યા 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ફરી વિકેટ પડવા લાગી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે લડત આપતાં 50 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ મિચેલ સેન્ટનર, માઇકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જેકોબ ડફી અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝમાં કિવી ટીમ 1-0થી આગળ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow