આજે નવી ગાઈડલાઈન આવી શકે, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા

આજે નવી ગાઈડલાઈન આવી શકે, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા

ભારતમાં કોરોનાના વધતા જતા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર. બેઠકમાં કોરોનાના નવા પ્રકાર સામે લડવા માટે નવી યોજના બનાવવામાં આવશે. આ સાથે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી શકે છે.

આ પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ડૉ. અનિલ ગોયલે કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર રહેશે નહીં. IMA અનુસાર, ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ ચીન કરતા વધુ મજબૂત છે. ભારતની 95% વસ્તી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, તેથી દેશમાં કોઈ લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ નહીં આવે.

ગુરુવારે બેઠક દરમિયાન પીએમ મોદીએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે પરિક્ષણ વધારવા અને કોવિડ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરાવવા પર ભાર મૂક્યો. મિટિંગ પૂરી થયાના થોડા કલાકો પછી, આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી. આમાં, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના 2% મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. 24 ડિસેમ્બરથી તેને દેશભરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાગૂ કરવામાં આવશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow