ભોજન જમતી વેળાએ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન!

ભોજન જમતી વેળાએ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન!

જાણો, વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા ખાસ નિયમ

વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ-સમૃદ્ધી લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં અનેક પ્રકારની પરેશાની લાવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા કેટલાંક નિયમ જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે આ નિયમોનુ પાલન ના કરવાની અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ સાથે આ નિયમોના ઉલ્લંઘનથી માં લક્ષ્મી પણ નારાજ થાય છે.

ભોજન સાથેના વાસ્તુ નિયમ

  1. ભોજન હંમેશા બેસીને અને હાથ-પગ ધોઈને કરવુ જોઈએ. આ રીતે ભોજન કરવુ શુભ માનવામાં આવે છે અને દેવતાઓનો આશીર્વાદ રહે છે. જો તમારી પસંદનુ ભોજન નથી તો પણ અન્નનો અનાદર ના કરવો જોઈએ. જેનાથી અન્નનુ અપમાન થાય છે. જો રૂચિ ના હોય અથવા ભોજન પસંદ ના હોય તો અન્નને પ્રણામ કરીને ક્ષમા માંગી લો.
  2. ભોજન હંમેશા શાંતિમાં અને અવાજ કર્યા વગર કરવુ જોઈએ. અવાજ કરીને ભોજન કરવુ અપશુગન માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ પણ થતો નથી. થાળીમાં જેટલુ ખાઈ શકો તેટલું જ ભોજન લો. ક્યારેય પણ ભોજન બરબાદ ના કરો.
  3. જો તમે ટેબલ અથવા ખુરશી પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો આ વાતનુ ધ્યાન રાખો કે ક્યારેય પણ પગને હલાવશો નહીં. આમ કરવાથી અન્નનુ અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. ભોજન ક્યારેય પણ જલ્દબાજીમાં ના કરવુ જોઈએ. આમ કરવાથી ભોજન પ્રેતયોનિમાં જતુ રહે છે, એટલેકે ભોજન શરીરને મળતુ નથી. ભોજનને હંમેશા આરામથી ચાવીને ખાવુ જોઈએ.
  4. ક્યારેય પણ પલંગ પર બેસીને, ઊંઘીને, હાથમાં થાળી લઇને અથવા પછી ઉભા થઇને ભોજન ના કરવુ જોઈએ. આમ કરવાથી અન્ન દેવતાનુ અપમાન થાય છે. જો તમે જમીન પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો થાળીને હંમેશા ચોકી અથવા આસન પર રાખો, પછી ભોજન કરો. ક્યારેય પણ જમીન પર થાળી ના રાખશો.
  5. ભોજન કરતી સમયે ક્યારેય પણ અધવચ્ચે ના ઉઠવુ જોઈએ. અધવચ્ચે ઉઠીને ફરીથી એઠૂ ખાવુ દેવી અન્નપૂર્ણાનુ અપમાન માનવામાં આવે છે. જેનાથી ભોજન શરીરને મળતુ નથી. તેથી કેટલું જરૂરી કામકાજ કેમ ના હોય. પરંતુ ભોજન પુરૂ કર્યા બાદ જ ઉઠો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow