સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરતા આ 3 ભૂલ, નહીં તો આખો દિવસ..., દરિદ્રતાનો પણ થઇ શકે પ્રવેશ

સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરતા આ 3 ભૂલ, નહીં તો આખો દિવસ..., દરિદ્રતાનો પણ થઇ શકે પ્રવેશ

સવારનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદૂ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સવારમાં કરવામાં આવતા કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે.    

જ્યારે કેટલાક કાર્યો એવા પણ હોય છે જેને   સવારમાં કરવા અશુભ માનવામાં આવે છે.  આ કાર્યોની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે.   જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી કેટલાક કામ ન કરવા જોઈએ કારણ કે તેની નકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે.  


સવારે ઉઠીને એંઠા   વાસણ જોવા
વહેલી સવારે એંઠા વાસણ જોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થઈ જાય છે. એંઠા વાસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે. રસોડામાં એંઠા વાસણો આખી રાત રાખવાથી   જીવનમાં દરિદ્રતા આવે છે. વહેલી સવારે આ એંઠા વાસણો જોવાથી કામ બગડી જાય છે. જો કોઈ કારણોસર તમે રાત્રે એંઠા વાસણો સાફ નથી કરી શકતા તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે તમારી નજર તેના પર ન જાય.  


પડછાયો ન જુઓ
સવારે વહેલા ઉઠીને પોતાનો પડછાયો ન જોવો જોઈએ. નહીં તો તે નકારાત્મક   ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે સવારે પોતાનો પડછાયો જોવાથી જીવનમાં માનસિક તણાવ વધે છે અને સ્વભાવમાં નકારાત્મકતા આવવા લાગે છે. જેના કારણે ઘરમાં ચીડિયાપણું અને ઝઘડો પણ વધે છે. સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે કોઈ   જંગલી પ્રાણીની તસવીર પર તમારી નજર ન પડે. આની નકારાત્મક અસરો પણ થાય છે.


અરીસામાં જોવું
સવારે વહેલા ઉઠીને અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં આવી કોઈ જગ્યાએ અરીસો હોય તો જલ્દીથી તેની જગ્યા બદલી નાખો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow