પાડોશીએ 12 વર્ષના બાળકને મારી નાખવાની તેના પિતાને છેડતીમાં ફિટ કરવાની ધમકી આપી

પાડોશીએ 12 વર્ષના બાળકને મારી નાખવાની તેના પિતાને છેડતીમાં ફિટ કરવાની ધમકી આપી

શહેરના યુનિવર્સિટી રોડ પરના નિલકંઠનગરમાં રહેતા પરિવારનો 12 વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમતો હોય તે બાળક ધમાલ કરે છે તેવી રાવ કરી પાડોશીઓએ બાળકને મારી નાખવાની અને તેના પિતાને છેડતી કેસમાં ફિટ કરી દેવાની ધમકી દઇ માથાકૂટ કરી હતી, પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

નિલકંઠનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં રાજશેખરભાઇ રોહિતભાઇ રાવલે (ઉ.વ.43) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા જ્યોતિ, કુલદીપસિંહ, હેતલ, હિતેષ અને નિશાંતના નામ આપ્યા હતા, રાજશેખરભાઇ રાવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો 12 વર્ષનો પુત્ર જીતાત્મન ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે પોતાની સાઇકલ લઇને શેરીના અન્ય બાળકો સાથે શેરીમાં આવેલા શિવશક્તિ કૃપા નામના મકાન પાસે રમતો હતો અને બાળકોએ રમતી વખતે દેકારો કર્યો હતો, થોડીવાર રમ્યા બાદ જીતાત્મન પોતાના ઘરે આવી ગયો હતો, ત્યારબાદ આરોપીઓ રાજશેખરભાઇના ઘરે ધસી ગયા હતા અને તમારો પુત્ર અમારા ઘર પાસે ધમાલ કરતો હતો તેમ કહી રાજશેખરભાઇના પત્ની બિનલબેનને ગાળો ભાંડવા લાગ્યા હતા,

છોકરાવના મુદ્દે માથાકૂટ કરવી યોગ્ય નથી તેવું રાજશેખરભાઇએ કહેતા હેતલે રાજશેખરભાઇને ધક્કો માર્યો હતો અને ‘તને છેડતીની ખોટી ફરિયાદમાં ફસાવી દઇશ’ તેવી ધમકી આપી હતી અને હવે તમારો બાળક જીતાત્મન અમારા ઘર પાસે રમવા આવશે તો તેના ટાંટિયા તોડી નાખશું અને તે ક્યાં ગુમ થઇ જશે તેની કોઇને ખબર નહીં પડે તેવી ધમકી આપી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow