દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની જરૂર છે કે નહી?:

દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની જરૂર છે કે નહી?:

ડોકટરો પણ આપણને વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ જો જરૂરિયાત કરતાં વધારે પાણી પીવામાં આવે તો ફાયદાની બદલે નુકસાન પણ થઇ શકે છે. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ આ પ્રકારની સલાહ આપણને દરરોજ મળે છે, પરંતુ શું સાચે જ આપણા શરીરને આટલા પાણની જરૂર પડે છે? હાલમાં જ 23 દેશમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં ખબર પડી છે કે, આટલું પાણી પીવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સારું નથી.

ખાવાની વસ્તુથી પણ પાણીની જરૂરિયાત થાય છે પુરી
તો ઘણાં લોકોને રોજના 2 લીટરને બદલે માત્ર 1.5 થી 1.8 લીટર પાણીની જરૂર હોય છે. શરીરની અડધાથી વધુ પાણીની જરૂરિયાત ખાદ્ય પદાર્થો, ચા અને કોફી વગેરે દ્વારા પૂરી થઇ જાય છે. આ સ્થિતિમાં, દરરોજ 8 ગ્લાસ પાણી પીવા પર કોઈ ભાર રાખવો ન જોઈએ.

પાણીની જરૂરિયાત ખાદ્ય પદાર્થો, ચા અને કોફી વગેરે દ્વારા પૂરી થઇ જાય છે.

તો સંશોધકોએ આ માટે 8 થી 96 વર્ષ સુધીના 5 હજારથી વધુ લોકોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. આ રિસર્ચ પરથી ખબર પડી છે કે, કે પાણીની જરૂરિયાત દરેક માણસની અલગ-અલગ હોય છે. વ્યક્તિ જ જગ્યા પર રહે છે, ઋતુ, તાપમાન, ઊંચાઈ, ભેજ જેવા પરિબળો પાણીની જરૂરિયાત નક્કી કરે છે.

રમતવીરો અને ખેડૂતોને પાણીની જરૂર વધારે
વ્યક્તિગત લેવલે પાણીની જરૂરિયાતો વ્યક્તિના કામ, જેન્ડર, ઉંમર, વજન અને તંદુરસ્તી પર આધાર રાખે છે. 20 થી 30 વર્ષના પુરૂષો, રમતવીરો અને શારીરિક શ્રમ કરતા લોકોને વધુ પાણીની જરૂર પડે છે. વિકાસશીલ દેશોના ખેડૂતોને ઔદ્યોગિક દેશો કરતાં વધુ પાણીની જરૂરિયાત હોય છે.

તો વધારે ગરમી ધરાવતા દેશોમાં રહેતા લોકોને પણ પાણીની જરૂર વધારે હોય છે. સગર્ભા અને બ્રેસ્ટફીડિંગ કરાવતી સ્ત્રીઓને પણ વધુ પાણીની જરૂર હોય છે. જો કે, ઘણા લોકોને તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે.

વધારે પાણી પીવાથી નુકસાન નહી પરંતુ જરૂરિયાત વધારે
પ્રોફેસર જ્હોન સ્પીકમેન જણાવે છે કે, વધારે પાણી પીવાથી નુકસાન થતું નથી, પરંતુ જો યુકેમાં 4 મિલિયન પુખ્ત વયના લોકો દરરોજ અડધો લિટર વધુ પાણી પીવે છે, તો દરરોજ 200 લાખ લિટર વધુ સ્વચ્છ પાણીની જરૂર પડશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow