મુંબઈ એલિમિનેટર 81 રનથી જીત્યું

મુંબઈ એલિમિનેટર 81 રનથી જીત્યું

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2માં મુંબઈનો મુકાબલો 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે.

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી આકાશ મેધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી, તેની ઇકોનોમી 1.40ની રહી હતી. LSGના 3 બેટર્સ રન આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં કેમરોન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા.

LSGએ 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી
પાવરપ્લેમાં મક્કમ શરૂઆત બાદ પીયુષ ચાવલાએ નવમી ઓવરમાં કૃણાલ પંડ્યાને કેચઆઉટ કરાવ્યો હતો. આગલી જ ઓવરમાં આકાશ મેધવાલે આયુષ બદોની અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા. ચાવલા અને મેધવાલ પછી માર્કસ સ્ટોઇનિસ અને કૃષ્ણપ્પા ગૌતમ આગામી બે ઓવરમાં રનઆઉટ થયા હતા. ટીમનો સ્કોર 69 રને 2 વિકેટેથી સીધો 92 રને 7 પર પહોંચ્યો હતો. મેધવાલે રવિ બિશ્નોઈને પણ 100 રનના ટીમના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ જ ઓવરમાં દીપક હુડા પણ રનઆઉટ થયો હતો. આ રીતે એ 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

પાવરપ્લેમાં LSGએ 2 વિકેટ ગુમાવી દીધી હતી
183 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી જ ઓવરમાં પ્રેરક માંકડની વિકેટ ગુમાવી દીધી હતી. કાઇલ મેયર્સ પણ ચોથી ઓવરમાં આઉટ થયો હતો. પરંતુ માર્કસ સ્ટોઇનિસની ઇનિંગની મદદથી ટીમે 6 ઓવરમાં 54 રન બનાવ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow