મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

કોવિડ રસીકરણ માટે તૈયાર કરાયેલી કોવિન એપનો ઉપયોગ હવે દેશમાં થઈ રહેલા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવશે. તેના માટે દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બે-બે જિલ્લાઓને પસંદગી કરાઈ છે. આ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટમાં ચલાવવામાં આવશે. તેના માટે આરોગ્ય મંત્રાલય તરફથી નેશનલ ઈમ્યૂનાઈજેશન કાર્યક્રમમાં અપાતી વેક્સિનને કોવિન એપ સાથે જોડવામાં આવી રહી છે.

કોવિન એપના માધ્યમથી અત્યાર સુધી બસો કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. હવે આ એપનો ઉપયોગ સગર્ભા મહિલાઓથી લઈ 12થી 13 પ્રકારની બિમારીઓ સામે રક્ષણ માટે બાળકોને અપાતી રસીને પણ તેની સાથે જોડવામાં આવશે. સગર્ભા અને બાળકોને જે રસી અપાશે, તેની સંપૂર્ણ માહિતી કોવિન એપ પર ઉપલબ્ધ હશે.

કોવિન ઉપર રજીસ્ટ્રેશન કરવાની જે રીત હાલ છે, તેવી જ રીતે અન્ય વેક્સિન માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કોવિન એપ દ્વારા જ્યારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને જોડવામાં આવશે, ત્યારે રસી લેનારાઓની વાસ્તવિક સંખ્યા એક પોર્ટલ પર ઉલબ્ધ થશે. જુદા-જુદા પ્લેટફોર્મ પરથી તેની જાણકારી લેવાની જરૂર નહીં પડે.

સાથે જ જો કોઈ રસીની નક્કી કરાયેલી તારીખ પર રસી લેવામાં નથી આવતી, તો તેને કોવિન એપના માધ્યમથી રિમાઈન્ડર પણ મોકલવામાં આવશે. જેનાથી રસી ડ્રોપ આઉટમાં ઘટાડો આવે. અત્યારે 10થી 15 ટકા બાળકો જુદા-જુદા કારણોસર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ તમામ રસી નથી લઈ શકતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow