'સફેદ ઝેર' છે મેયોનીઝ, ચટકારા લઈને ખાતા પહેલા જાણી લો તેનાથી શરીરને થતા મોટા નુકસાન વિશે

'સફેદ ઝેર' છે મેયોનીઝ, ચટકારા લઈને ખાતા પહેલા જાણી લો તેનાથી શરીરને થતા મોટા નુકસાન વિશે

નાના બાળકોથી વલઈને મોટાઓ સુધી મેયોનીઝ દરેકને પસંદ આવે છે. બર્ગર, પિઝ્ઝા અથવા મોમોઝની સાથે મેયોનીઝ ન હોય તો સ્વાદ નથી આવતો. અમુક લોકો મેયોનીઝને સેન્ડવિચ અને પાસ્તામાં નાખીને ખાય છે. જ્યારે અમુક લોકોને મેયોનીઝના ક્રીમી ટેક્સચર પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેયોનીઝ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?

મેયોનીઝના શોખીનો જાણી લેજો નુકસાન વિશે
જો તમે મેયોનીઝના શોખીન છો તો તમને તેના નુકસાન વિશે જરૂર ખબર હોવી જોઈએ. હકીકતે વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારનું નુકસાન થઈ શકે છે. તેનાથી તમને ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આવો જાણીએ મેયોનીઝ ખાવાના સાઈડ ઈફેક્ટ.

મેયોનીઝ ખાવાના નુકસાન

ડાયાબિટીસ
વધારે મેયોનીઝ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમે દરરોજ તેને ખાઈ રહ્યા છો તો ડાયાબિટીસનો ખતરો વધારે છે. ત્યાં જ જો તમે પહેલાથી જ ડાયાબિટીસનો શિકાર છો તો પછી તમને તેને ખાવાથી બચવું જોઈએ.

વજન વધવું
મેયોનીઝને વધારે ખાવાથી તમારૂ વજન ઝડપથી વધી શકે છે. હકીકતે મેયોનીઝમાં ઘણા પ્રમાણમાં કેલેરી હોય છે. તેમાં ફેટ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેના કારણે તમે વધારે મેયોનીઝ આશો તો તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો.

બ્લડ પ્રેશર વધવું
વધારે મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતે મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. મેયોનીઝનું વધારે સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો પણ રહે છે.

હાર્ટ સંબંધીત બીમારીઓનો ખતરો
મેયોનીઝ લવર્સ માટે ખતરાની વાત એ છે કે તેના સેવનથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. મેયોનીઝની એક મોટી ચમચીમાં લગભગ 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. વધારે મેયોનીઝ કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હૃદય રોગનો ખતરો વધે છે.

માથામાં દુખાવો
બજારમાં મળતા મેયોનીઝમાં પ્રિઝરવેટિવ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રેડિઅન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા રહેલા એમએસજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી ઘણા લોકોને માથામાં દુખાવો કમજોરી જેવી સમસ્યા આવી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow