ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતના શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં અસુરક્ષાની ભાવના એટલી હદે વધી ગઈ છે કે તેઓ ઘરમાં જ પુરાઇને રહે છે, બિનજરૂરી કામવગર બહાર પણ નથી નિકળી શકતી. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ટીયુએસ (ટાઇમ યુઝ સર્વે) મુજબ, ભારતના શહેરોમાં 53% એટલે કે અડધાથી વધુ મહિલાઓ તેમના ઘરમાંથી બહાર નીકળતી નથી, જ્યારે 14% પુરુષો પણ આવું જ કરે છે. ઝારખંડની રહેવાસી 19 વર્ષની મનીષા દિલ્હીના એક ઘરમાં ફુલ ટાઈમ મેઇડ છે. તે કહે છે- હું કમાઉં છું, પણ મહિનામાં એક કે બે વાર જ બહાર જાઉં છું. જાહેર રસ્તાઓ પર હું ખુદને સલામત નથી અનુભવતી. જાહેરમાં થતી છેડતીની ઘટનાઓ સામન્ય વાત છે.

આઈઆઇટી દિલ્હીના પ્રોફેસર રાહુલ ગોયલ ટાઇમ ન્યૂઝના આધાર પર મહિલાઓ અને પુરુષોના જીવનમાં તફાવત અંગે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે- પરિવારના સભ્યો બાળપણથી જ છોકરીઓને બહાર મોકલવાનું ટાળે છે. તેઓ કહે છે કે 25 થી 44 વર્ષની સ્ત્રીઓ દરરોજ સરેરાશ સાડા આઠ કલાક ઘરના કામકાજ કરે છે, જ્યારે પુરુષો સરેરાશ માત્ર એક કલાક કામ કરે છે. મહિલાઓને ઘરોમાં કેદ રાખવાનું આ પણ એક કારણ છે.

આ ઉંમરના 88% પુરુષો દરરોજ ઘરની બહાર નીકળે છે, જ્યારે માત્ર 38% જ શહેરી મહિલાઓ દરરોજ ઘરની બહાર નીકળતી હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે લગ્ન પછી મહિલાઓની બહાર નીકળવાની તકો ઓછી થાય છે, જ્યારે પુરુષોની તકો વધી જાય છે. નોકરી કરતી મહિલાઓ સિવાય માત્ર 30% મહિલાઓ જ રોજ ઘરની બહાર નીકળે છે.

મહિલાઓનું બહાર ન નીકળવાનું કારણ

  • ભારતમાં લૈંગિક અસમાનતાનું સ્તર ઘણું ઊંચું છે.
  • જાહેર સ્થળોએ મહિલાઓની છેડતીનું પ્રમાણ વધી રહ્યું છે.
  • વર્ક ફોર્સમાં મહિલાઓનો હિસ્સો માત્ર 27% છે.
  • શહેરોમાં પણ સામાજિક પછાતપણું.
  • છોકરીઓની મિત્રતાની સંખ્યામાં સરેરાશ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow