મણિપુર હિંસાઃ 300 સશસ્ત્ર ઉગ્રવાદી મ્યાનમારથી ઘૂસ્યા!

મણિપુર હિંસાઃ 300 સશસ્ત્ર ઉગ્રવાદી મ્યાનમારથી ઘૂસ્યા!

મણિપુરમાં ગુરુવારે પણ હિંસાનો દોર જારી રહ્યો હતો. હિંસાગ્રસ્ત ખેમેન્લોકમાં મૃતકોની સંખ્યા 11થી વધીને 15 થઇ ગઇ છે. અપહરણ કરવામાં આવેલા ચાર લોકો પણ માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે. બીજી બાજુ મ્યાનમારથી રાજ્યના બિષ્ણુપુર જિલ્લામાં 300 સશસ્ત્ર ઉગ્રવાદીઓ ઘૂસી ગયા છે. સૂત્રો મુજબ તોરબુંગના જંગલ વિસ્તારોમાં અડ્ડાઓ બનાવી લીધા બાદ ઉગ્રવાદીઓની ટોળકી ચુરાચાંદપુરની તરફ આગળ વધી ગઇ છે. આ ટોળકીમાં ચીન અને કુકી પણ સામેલ છે.

સુરક્ષા સંસ્થાઓ આની માહિતી મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન બપોરે બિષ્ણુપુર જિલ્લાના ત્રોંગ્લાઓબીમાં કુકી હુમલાખોરોએ પોલીસ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક પોલીસ કમાન્ડો શહીદ થતા તંત્રની ચિંતા વધી છે. આ હુમલામાં બે અન્ય પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરમિયાન રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધને 20મી જૂન સુધી વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેઇતેઇ સમુદાયના લોકો આરામ કરવા ચર્ચમાં રોકાયા હતા, હરીફ જૂથને ઘેરીને હુમલો
મેઇતેઇ સંગઠનના લોકો પેટ્રોલિંગ પર હતા. તેમની પાસે મોર્ટાર અને અન્ય આધુનિક હથિયારો હતાં. કેટલાક લોકો લાકડીઓ લઇને પણ પહોંચ્યા હતા. જેવા આ લોકો ખેમેન્લોક ગામમાં એક ચર્ચમાં આરામ કરવા માટે રોકાયા, કુકી લોકોએ તેમને ઘેરીને હુમલો કર્યો હતો. ત્રણ તરફ કરાયેલા હુમલાના કારણે મેઇતેઇ લોકો ઘેરાઇ ગયા હતા. કુલ 15 લોકો માર્યા ગયા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow