મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

દિલ્હી:  ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલ કફ સીરપ પીવાથી 70 બાળકોનાં મૃત્યુ મુદે કેન્દ્ર સરકારે મોટી માહિતી આપી છે. કેન્દ્ર સરકારે આ કફસીરપ બનાવતી ભારતીય કંપની મેડન ફાર્માને ક્લીનચીટ આપી દીધેલ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું કે મેડન ફાર્માનું સીરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે અને તેમાં કોઇપણ પ્રકારની ભેળસેળ નથી મળી આવી.

આફ્રિકામાં 70 બાળકોનું કફ સીરપથી થયું હતું મોત
મેડન ફાર્મા પર એ સમયે પ્રશ્નો ઉઠ્યાં હતાં જ્યારે આફ્રિકાનાં ગેમ્બિયામાં આ કંપનીની કફ સીરપ પીવાથી 70 બાળકોનું મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદે મોટો ખુલાસો રાજ્યસભામાં કરેલ છે જેમાં મેડન ફાર્માને ક્લિનચીટ આપી દેવાઇ છે.

ઘટના બાદ ભારતમાં રચાઇ સ્પેશિયલ કમિટી
ગામ્બિયામાં થયેલ બાળકોનાં મોત બાદ કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયે ડો.વાઇ.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. ચાર સદસ્યોની આ સમિતિમાં આરોગ્ય સંબંધિત સ્થાઇ રાષ્ટ્રીય સમિતિનાં ઉપાધ્યક્ષ ડો.વાઇ.કે.ગુપ્તા, પુને સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન વિભાગનાં ડો. પ્રજ્ઞા યાદવ, નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય  રોગ નિયંત્રણ કેન્દ્રનાં મહામારી વિજ્ઞાન વિભાગનાં ડો. આરતી બહલ અને  CDSCOનાં એ.કે.પ્રધાન સમાવિષ્ટ છે. ભારતમાં બનેલ 4 કફ સીરપથી ગામ્બિયામાં સંભવત:  66 જેટલા બાળકોનાં મોત મામલે WHO માટે ઘટનાનું રિપોર્ટ અને તપાસ માટે સરકારને 4 લોકોની વિશિષ્ટ કમિટી બનાવવા માટે જણાવાયું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow