સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવીને લખનઉ જીત્યું

સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવીને લખનઉ જીત્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે લીગ સ્ટેજની મેચ મોહાલીના PCA આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં લખનઉ સુપરજાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રને હરાવ્યું હતું. પંજાબ કિંગ્સને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી સૌથી વધુ અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તેના પછી સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. LSG તરફથી સૌથી વધુ યશ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. તો નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને 2 વિકેટ અને માર્કસ સ્ટોઇનિસને 1 વિકેટ મળી હતી.

258 રનના પહાડ જેવા મળેલા ટાર્ગેટને ચેઝ કરતા પંજાબની શરૂઆત ખાસ રહી નહોતી. પાવરપ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરન 9 રન બનાવીને આઉટ થયા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow