આકર્ષક વળતરની લહાયમાં ઓનલાઇન રોકાણ કરતા રૂ.4 લાખ ગુમાવવા પડ્યા

આકર્ષક વળતરની લહાયમાં ઓનલાઇન રોકાણ કરતા રૂ.4 લાખ ગુમાવવા પડ્યા

સોશિયલ મીડિયામાં અલગ અલગ સાઇટના નામે સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે છતાં લોભામણી લાલચમાં ફસાઇને લોકો નાણાં ગુમાવે છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ધોરણ 12ના વિદ્યાર્થી સહિતના રોકાણકારોએ આકર્ષક વળતરની લહાયમાં ઓનલાઇન રોકાણ કરી રૂ.4,05,670 ગુમાવ્યા હતા.ઓનલાઇન છેતરપિંડી અંગે જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા અને ગાયત્રી લાઇટ ડેકોરેશન નામે પેઢી ધરાવતાં મુકેશભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.45)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે, જેમાં બીજા નંબરનો પુત્ર જીવણ ઉર્ફે જયરાજ ધોરણ 12માં અભ્યાસ કરે છે. જીવણના ઇન્સ્ટાગ્રામમાં ટીટીસી નામે ઇન્વેસ્ટ કરવાની જાહેરાતની પોસ્ટ મુકાઇ હતી જેમાં રૂ.1 હજારથી રૂ.50 હજારનું રોકાણ કરી શકશો તેવું જણાવાયું હતું અને જેમાં એપ્લિકેશન દ્વારા દરરોજના 5 ટકા વ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ રોકાણકારના વોલેટમાં જમા થશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

જીવણ વાઘેલા આ લોભામણી લાલચમાં ફસાયો હતો અને તેણે શરૂઅાતમાં રૂ.5 હજારનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ જીવણે રૂ.1 હજાર, રૂ.9 હજાર, રૂ.4 હજાર, રૂ.5 હજાર, રૂ.8 હજાર રોકાણ પેટે ભર્યા હતા. જીવણના એપ્લિકેશન વોલેટમાં રૂ.64 હજાર દેખાતા હતા. જેથી જીવણે તે રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે રકમ ઉપડી શકી નહોતી અને મેસેજ આવ્યો હતો કે, તમારા વોલેટમાં જેટલી રકમ છે તેટલી રકમ જમા કરાવવી પડશે તો જ તમારા વોલેટની રકમ વિડ્રોલ કરી શકશો અને જો તેટલી રકમ જમા નહીં કરો તો તમારું ખાતું બ્લોક કરી દેવામાં આવશે જેથી જીવણે વધુ રૂ.64 હજાર જમા કરાવ્યા હતા

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow