આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 29 નવેમ્બર, મંગળવારે કરવામાં આવશે. આ વ્રત કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો મુખ્ય તહેવાર છે. અહીં ભગવાન શિવના અવતાર ખંડોબાને ખેડૂતોના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

આ દિવસે ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ ભગવાન કાર્તિકેયની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.

ચંપા ષષ્ઠીને છઠ્ઠ પર્વ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે શિવલિંગને રીંગણ અને બાજરી અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને આ તહેવાર મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપને સમર્પિત છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને અને સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને ગંગાજળ અર્પણ કરવામાં આવે છે. આ પછી ફૂલ, અબીર, બેલના પાન ચઢાવવામાં આવે છે અને દેશી ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow