આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

આ વ્રતમાં ભગવાન કાર્તિકેયની ચંપાનાં ફૂલથી પૂજા કરવામાં આવે છે

માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 29 નવેમ્બર, મંગળવારે કરવામાં આવશે. આ વ્રત કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો મુખ્ય તહેવાર છે. અહીં ભગવાન શિવના અવતાર ખંડોબાને ખેડૂતોના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

આ દિવસે ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ ભગવાન કાર્તિકેયની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.

ચંપા ષષ્ઠીને છઠ્ઠ પર્વ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે શિવલિંગને રીંગણ અને બાજરી અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને આ તહેવાર મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપને સમર્પિત છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને અને સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને ગંગાજળ અર્પણ કરવામાં આવે છે. આ પછી ફૂલ, અબીર, બેલના પાન ચઢાવવામાં આવે છે અને દેશી ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow