લોકસભામાં 'VB-જી રામ જી' બિલ પર ચર્ચા

લોકસભામાં 'VB-જી રામ જી' બિલ પર ચર્ચા

બુધવારે સાંજે 5:40 વાગ્યે લોકસભામાં "વિકસિત ભારત- રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન (ગ્રામીણ) (VB-જી રામ જી) બિલ, 2025" પર ચર્ચા શરૂ થઈ.

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચર્ચા પછી વિપક્ષને તેમનો પ્રતિભાવ સાંભળવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે આ બિલ ગ્રામીણ રોજગારમાં વાર્ષિક 100 દિવસથી 125 દિવસનો વધારો કરવાની ગેરંટી આપે છે. આ બિલ ગામડાઓને ગરીબી મુક્ત બનાવશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે ગૃહ આ બિલો પર લાંબી ચર્ચા કરશે, અને જો જરૂરી હોય તો કાર્યવાહી રાત સુધી ચાલુ રહેશે.

અગાઉ, લોકસભાએ "સસ્ટેનેબલ હાર્નેસિંગ ઓફ એટોમિક એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (શાંતિ) બિલ" પસાર કર્યું.

કોંગ્રેસના સાંસદોએ કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) કાર્યાલયમાં બેઠક યોજી અને તેના સાંસદોને વ્હીપ જારી કર્યો. આ પછી, કોંગ્રેસના સાંસદોએ "VB-જી રામ જી" બિલ સામે સંસદની બહાર વિરોધ કર્યો.

ટ્રેનમાં સામાન લઈ જવા માટે લિમિટ નક્કી કરાઈ ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ક્લાસ(કોચ) મુજબ સામાનની મર્યાદા અને નિયમો રેલવેના નવા નિયમો મુજબ, એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરો 70 કિલો સુધીનો સામાન મફત લઈ જઈ શકશે, જ્યારે તેની મહત્તમ મર્યાદા 150 કિલો રાખવામાં આવી છે. એસી સેકન્ડ ટિયરમાં 50 કિલો અને એસી થર્ડ ટિયર કે ચેર કારમાં 40 કિલો સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ મળશે. સામાન્ય મુસાફરો જે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરે છે તેઓ 40 કિલો અને સેકન્ડ ક્લાસમાં 35 કિલો સુધીનો સામાન કોઈ પણ ચાર્જ વગર સાથે રાખી શકશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow