PM મોદીના પહેરવેશે દર વર્ષની જેમ આ વખતે પણ જમાવ્યું આકર્ષણ

PM મોદીના પહેરવેશે દર વર્ષની જેમ આ વખતે પણ જમાવ્યું આકર્ષણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74મા ગણતંત્ર દિવસના ખાસ મોકા પર ભારતની વિવિધતાનું પ્રતિક એવી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી.  

પીએમ મોદીના આ વર્ષના પોશાકની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદીગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. આજે પીએમ મોદીએ સફેદ કુર્તા અને પેન્ટની સાથે કાળો કોટ અને સફેદ સ્ટોલ પહેરી છે.

કાળા અને સફેદ પોશાકમાં લાંબી પૂંછડીવાળી બહુરંગી પાઘડીએ તેમના પોશાકના ગૌરવમાં વધારો કર્યો છે.

પીએમ મોદીના પોશાકની પસંદગી ખૂબ જ રસપ્રદ
જણાવી દઈએ કે ગયા વર્ષે પીએમ મોદીના પોશાકમાં ઉત્તરાખંડ અને મણિપુરનો અલગ સ્પર્શ દર્શાવ્યો હતો. ગયા વર્ષે ગણતંત્ર દિવસ પર એમને ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી અને મણિપુરમાંથી લિરમ ફીની ઝલક જોવા મળી હતી.

નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના બે પ્રસંગો પર પીએમ મોદીના પોશાકની પસંદગી ખૂબ જ રસપ્રદ રહે છે અને આ સાથે જ પીએમ મોદી અન્ય પ્રસંગો પર પણ ચોક્કસ જાતિ અથવા પ્રદેશના પરંપરાગત કપડાં પહેરે છે.

જણાવી દઈએ કે વર્ષ 2021માં 72માં પ્રજાસત્તાક દિવસ પર પીએમ મોદીએ લાલ બાંધેલી ટોપી પહેરી હતી જે જામનગરના રાજવી પરિવાર તરફથી એમને ભેટ આપવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2020માં પીએમ મોદીએ કેસરી બંધેજ ટોપી પહેરી હતી. નરેન્દ્ર મોદી હંમેશા કંઈક અલગ પોશાક પહેરવા માટે જાણીતા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow