આજથી જ છોડી દો તમારી આ ખરાબ આદતો! લાંબા સમય સુધી રહેશો 'જવાન અને ફિટ'

આજથી જ છોડી દો તમારી આ ખરાબ આદતો! લાંબા સમય સુધી રહેશો 'જવાન અને ફિટ'

હેલ્ધી અને ફિટ રહેવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈ ખૂબ જ જરૂરી છે. ત્યાં જ હેલ્ધી લાઈફસ્ટાઈલ એક્સેપ્ટ કરવાનો નિર્ણય કોઈ પણ ઉંમરમાં લઈ શકાય છે. જી હાં આવું કરીને તમે પોતાની લાઈફસ્ટાઈલને વધારે સારી બનાવી શકો છો. તેના માટે તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હેલ્ધી રહેવા માટે લીલા શાકભાજી, ફળ, દાળ અને ડ્રાય ફ્રૂટ્સને ડાયેટમાં જરૂર શામે કરવા જોઈએ. ત્યાં જ અમુક ભુલો તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. એવામાં અમે તમને અહીં હેલ્ધી રહેવા માટે તમારી કઈ આદતો છોડવી જોઈએ તેના વિશે જણાવીએ છીએ.

હેલ્ધી રહેવા માટે આજે જ છોડો આ આદતોનેઆદતોને

સફેદ વસ્તુઓ

અમુક સફેદ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેમાં ખાંડ, મીઠું અને મેદાનો સમાવેશ થાય છે. ખાંડ શરીરનું ઈન્ફ્લેમેશન વધારે છે. જ્યારે મીઠું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. બીજી બાજુ, જો તમે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જેમાં ખાંડ, મીઠું હોય છે. તો તે ભવિષ્યમાં તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તો આજે જ તેમનાથી અંતર બનાવી લો.‌

આખો દિવસ બેઠા રહેવું ‌‌

આજકાલ ઘણા લોકોને આદત હોય છે કે તે આખો દિવસ બેસી રહે છે. અથવા ઓફિસમાં કામ કરતી વખતે જો તમે હંમેશા બેસી રહેશો તો તે એક રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે લાંબા સમય સુધી બેસો છો, તો તમે ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકો છો. એટલા માટે તમારે દરરોજ 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. બીજી તરફ જો તમે ઇચ્છો તો ઝડપથી ચાલીને બ્રિસ્ક વોક પણ કરી શકો છો.

પૂરતી ઊંઘ ન મળવી‌‌

જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓને હ્રદય રોગ થવાની સંભાવના વધુ હોય છે. આ એટલા માટે છે કારણ કે ઓછી ઊંઘ તમારા શરીરને ડિસ્ટર્બ કરે છે. તેનાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે. તેથી જો તમને પણ ઓછી ઊંઘ લેવાની આદત હોય, તો આજે જ આ આદતને બદલો અને દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ ચોક્કસ લો.

‌‌સિગરેટ, તમાકુ અને દારૂને છોડો

‌‌જો તમને પણ સિગરેટ, દારૂ અથવા તમાકુ ખાવાની આદત છે તો આજથી જ તેને બદલી દો. તમારી આ આદતો તમારા જીવનના ઘણા વર્ષો ઓછા કરી દે છે. સાથે જ તમને ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow