કાન સાફ કરવાની સાચી રીત જાણી લો: નહીં તો કાનનો પડદો તૂટી શકે

કાન સાફ કરવાની સાચી રીત જાણી લો: નહીં તો કાનનો પડદો તૂટી શકે

દરેક માણસનાં કાનમાં મેલ ભરાય છે અને સમયાંતરે વ્યક્તિ પોતાના કાનને સાફ કરતો રહે છે. પરંતુ કાનમાં મેલ ભરવાનું કારણ બાહ્ય હોતું નથી. એટલે કે આ મેલ બહારનાં પોલ્યુશન કે ધૂળ-રજકણને લીધે બનતો નથી.  

આ મેલ તમામ વ્યક્તિનાં આંતરિક જેનેટિક્સથી બને છે. દરેક વ્યક્તિનાં બાહ્ય કાનની રચના જૂદી-જૂદી હોઈ શકે છે પરંતુ આંતરિક સંરચના લગભગ સમાન જ હોય છે. કાનનાં નળી જેવા ભાગને ઈયર કેનાલ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાનનો પડદો. આ નળી અને પડદાની વચ્ચે જમા થાય છે કાનનો મેલ જેને સાયન્સની ભાષામાં કહેવાય છે Ear Wax.આ ઈયર વેક્સ ચિકાશપડતો અથવા તો ડ્રાય પણ હોય છે.

આ કાનનો મેલ ક્યાંથી આવે છે?
મનુષ્યના શરીરની અંદર પ્રસ્વેદગ્રંથી હોય છે એટલે કે Sweat Glands હોય છે. આ ગ્રંથી થકી આપણા શરીરમાંથી પરસેવો બહાર નિકળતો રહે છે જેને સાફ કરવા આપણે નાહવાની પ્રક્રિયા કરીએ છીએ. એવી જ રીતે આપણા કાનમાં સીરુમિનસ ગ્લેન્ડ હોય છે. આ સીરૂમિનસ ગલેન્ડમાંથી Cerumes નિકળે છે જેને Ear Wax એટલે કે કાનનો મેલ કહેવાય છે. તેથી આ કાનનો મેલ એ કોઈ બાહ્ય ફેક્ટર ધૂળ-રજકણ વગેરેને લીધે ભરાતો નથી.  

કાનનો મેલ વધારે કે ઓછો શા માટે થાય?
કેટલાક લોકોને વારંવાર કાન સાફ કરવાની આવશ્યકતા પડતી હોય છે જ્યારે કેટલાક લોકો મહિનાઓ કે વર્ષો સુધી પણ કાન સાફ ન કરે તો કામ ચાલી જતું હોય છે. તો આ પાછળ પણ કોઈ બાહ્ય કારણ હોતું નથી. તેની પાછળ કારણ છે તમારા જિનેટિક્સ. તમારી Genetic system જેવી હશે તે અનુસાર તમારા કાનમાં મેલની માત્રા નક્કી થશે. નવાઈની વાત તો એ છે કે કાનનો મેલ પણ એક રંગનો નથી હોતો. જે વ્યક્તિની જેવી જિનેટિક્સ સિસ્ટમ હોય તેના કાનમાં તે રંગનો મેલ ઉત્પન્ન થાય છે.

કાનનાં મેલને સાફ કેવી રીતે કરવું?
મોટાભાગનાં કિસ્સાઓમાં જ્યારે માણસ નાહવા જાય છે ત્યારે પાણીની મદદથી કાનનો મેલ આપમેળે ધોવાઈ જાય છે પરંતુ જો તેવું નથી બનતું તો તમારે અલગથી કાન સાફ કરવાની ફરજ પડે છે. ઘણાં લોકો આંગળી, ચાવી કે પીનનો ઉપયોગ કરીને કાનની સફાઈ કરતાં હોય છે અને કેટલાક તો કોટન બડ્સનો ઉપયોગ કરે છે પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ તમામ વસ્તુઓથી કાનનો મેલ કાઢવાથી કાનને ગંભીર નુક્સાન પહોંચી શકે છે. તેથી કાનની સફાઈ માટે તમારા નજીકી ENT ડોક્ટર પાસેથી દૂરબીન કે સીરીંઝથી કાનનો એકઠો મેલ કાઢવો જોઈએ. જો ચાવી કે કોટન બડ્સથી કાનને સાફ કરીએ તો કાનનો પડદો ફાટી જવાનો ભય પણ રહે છે. અને જો કાનનો મેલ સૂકાયેલો હોય તો તે પડદા અને કેનાલની સાથે ચોંટી જતાં તમને સંભળાવાનું પણ ઓછું થઈ જાય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow