શ્રીરામ પાસે શીખો મિત્રતામાં કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

શ્રીરામ પાસે શીખો મિત્રતામાં કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

આપણે પારિવારિક સંબંધોથી અલગ ઘરની બહાર મિત્રો બનાવીએ છીએ. સાચા મિત્રો એ જ હોય છે જે આપણી પરેસાનીઓને દૂર કરવા માટે હંમેશા તૈયાર રહે. ધ્યાન રાખવું કે એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ, જેમાં દુર્ગુણો કે ખરાબ ટેવો હોય, જે ખોટા કામ કરતા હોય. સંગતની આપણા જીવન પર ઊંડી અસર પડતી હોય છે, એટલા માટે મિત્રોના મામલામાં સતર્કતા રાખવી જરૂરી છે.

રામાયણમાં શ્રીરામ અને સુગ્રીવની મિત્રતાથી આપણે મિત્રોના ગુણ શીખી શકીએ છીએ. શ્રીરામ અને સુગ્રીવ પહેલીવાર મળી રહ્યાં હતાં. એ સમયે શ્રીરામે સુગ્રીવને કહ્યું કે હું જંગલમાં ભટકી રહ્યો છું, કારણ કે મને મારી પત્ની સીતાની શોધ કરવાની છે, પરંતુ તમે તો રાજા છો, તેમ છતાં તમે જંગલમાં રહો છો?

સુગ્રીવે પોતાના નવા મિત્ર રામને કહ્યું કે મારો એક નાનો ભાઈ છે વાલિ. તે રાજ-પાઠ માટે મારો દુશ્મન બની ગયો છે. થોડા સમય પહેલાં એક રાક્ષસ અમારા રાજ્યમાં આવી ગયો ત્યારે વાલિ તેને મારવા ગયો. વાલિની પાછળ-પાચળ હું પણ ચાલ્યો ગયો. વાલિ અને રાક્ષસ એક ગુફામાં ચાલ્યા ગયાં અને ગુફા બંધ થઈ ગઈ. હું ગુફાની બહાર જ રાહ જોતો રહી ગયો.

થોડા દિવસ પછી એ ગુફામાંથી લોહી બહાર વહેવા લાગ્યું. લોહી જોઈને હું ડરી ગયો, મને લાગ્યું કે વાલિ માર્યો ગયો. હું ડરી ગયો હતો એટલો હું પોતાના રાજ્યમાં પાછો આવી ગયો અને બધા લોકોને આખી ઘટના જણાવી. અહીંના લોકોને પણ લાગ્યું કે વાલી માર્યો ગયો તો તેમણે મને રાજા બનાવી દીધો. ત્યારે મારો ભાઈ વાલિ પાછો આવ્યો તો તેને લાગ્યું કે હું જાણી જોઈને રાજા બની ગયો છું. તેણે મને મારીને ભગાવી દીધો, તે મને શત્રુ સમજવા લાગ્યો. હું તેનાથી બચવા માટે જ જંગલમાં છુપાયેલો છું.

શ્રીરામે સુગ્રીવની વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તમારું રાજ્ય પાછું અપાવવામાં હું તમારી મદદ કરીશ.

સુગ્રીવે શ્રીરામ ઉપર ભરોસો ન આવ્યો, તે વિચારવા લાગ્યો કે વાલિ તો ખૂબ જ શક્તિશાળી છે તો રામ તેને કેવી રીતે મારશે? એ સમયે શ્રીરામે સુગ્રીવને કહ્યું કે હવે હું તમારો મિત્ર છું. મિત્રની વિશેષતા એ છે કે તે પોતાના મિત્રને દુઃખી જોઈને પોતે પણ દુઃખ અનુભવે અને એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે. વિપત્તિના સમયે મિત્રની સાથે ઊભા રહેવું તે જ મિત્રતાનો મોટો ગુણ છે. એટલા માટે મારી ઉપર ભરોસો કરો, હું તમારુ દુઃખ દૂર કરવા જરુર મદદ કરીશ.

આ વાત સાંભળીને સુગ્રીવે શ્રીરામ ઉપર ભરોસો આવી ગયો

આ પ્રસંગમાં શ્રીરામે આપણને સંદેશ આપ્યો છે કે મિ્ત્રના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ અને તેના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચો મિત્ર એ જ છે જે મિત્રના દુઃખમાં સાથે ઊભો રહે. સાથે જ એ ધ્યાન રાખો કે ક્યારેય પણ ખોટી વ્યક્તિને મિત્ર ન બનાવો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow