પિતાની ઉઘરાણીના રૂ.30 લાખ લેવા ગયેલા પુત્ર પર છરીથી હુમલો

પિતાની ઉઘરાણીના રૂ.30 લાખ લેવા ગયેલા પુત્ર પર છરીથી હુમલો

પિતાએ બે વર્ષ પૂર્વે ઉછીના આપેલા રૂ.30 લાખની ઉઘરાણી કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ બાઇકનું હોર્ન ધીમેથી વગાડવાનું કહેતા યુવક પર ત્રણ ઇસમ પાઇપથી તૂટી પડ્યા હતા.

કોઠારિયા રોડ પરના અરવિંદભાઇ મણિયાર ક્વાર્ટરમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતાં યુવરાજસિંહ રણિતસિંહ જાડેજા (ઉ.વ.32)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્દ્રજિતસિંહ નાથુભા જાડેજા, મરાઠી નામનો એક શખ્સ અને એક પેટલ નામના શખ્સનું નામ આપ્યું હતું.

યુવરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા રણજિતસિંહે બે વર્ષ પૂર્વે પેટ્રોલ પંપ કરવા માટે ઇન્દ્રજિતસિંહને રૂ.30 લાખ આપ્યા હતા, જે રકમ તે પરત કરતા નહોતા ને વાયદા કરતા હતા, શનિવારે યુવરાજસિંહ પૈસાની ઉઘરાણી કરવા ઇન્દ્રજિતસિંહની ઓફિસે ગયા હતા ત્યારે ઇન્દ્રજિતસિંહ અને ઓફિસમાં બેઠેલા અન્ય બે શખ્સે પૈસા આપવાનો ઇનકાર કરી ગાળો ભાંડી છરીથી હુમલો કર્યો હતો, હુમલા થતાં દેકારો મચી જતાં અન્ય લોકો દોડી ગયા હતા અને હુમલામાં ઘવાયેલા યુવરાજસિંહને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અન્ય એક બનાવમાં દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતો મહેબૂબ દાદુભાઇ સુમરા (ઉ.વ.27) શનિવારે રાત્રે પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે ફરદીન રસીદ પઠાણ ત્યાંથી જોરથી બાઇકમાં હોર્ન વગાડી પસાર થઇ રોફ જમાવ્યો હતો, મહેબૂબે તેને ટપારતાં થોડીવાર બાદ અન્ય બે ઇસમ સાથે પાઇપ લઇને ધસી ગયો હતો અને મહેબૂબ પર હુમલો કર્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow