ઘરમાં આ વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

ઘરમાં આ વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

ચંદન

નજર દોષ, ધન પ્રાપ્તિ અને ગૃહ કલેશમાંથી મુક્તિ મેળવવા માટે આ વસ્તુઓનો ધૂપમાં ઉપયોગ કરી શકાય છે. જો કોઈ જાતકની પ્રગતિમાં અડચણો આવી રહી છે અને ઘરમાં અનાવશ્યક રીતે પૈસા ખર્ચ થઇ રહ્યાં છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ચંદનનો ધૂપ આપવો જોઈએ. જેના માટે ચંદન, ઈલાયચી અને કપૂરને એકસાથે મિક્સ કરીને પ્રગટાવો. ઘરમાં તેનો ધૂપ આપવાથી સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે.

ગુગળ

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યા માટે અલગ-અલગ વસ્તુઓના ધૂપ અંગે જણાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં વારંવાર ઝગડા થાય છે તો તેના માટે ગુગળનો ધૂપ ખૂબ લાભદાયક અને ફાયદાકારક જણાવવામાં આવ્યો છે. જેનો ધૂપ આપવાથી નજર દોષ દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. ધૂપેલિયામાં ગુગળ નાખીને ઘરમાં ધૂપ આપવો જોઈએ.

કપૂર અને લવિંગ

જો કોઈ જાતક નાણાની સમસ્યાથી પીડાતો હોય. પૈસા આવે છે, પરંતુ ઘરમાં ધનની બરકત થતી નથી તો તેના માટે તમારે કપૂર અને લવિંગનો ધૂપ આપવો જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કેસર

જો કોઈ વ્યક્તિને ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓનો પ્રભાવ મહેસૂસ થઇ રહ્યો છે તો તેના માટે કેસરનો ઉપાય વધુ અસરકારક છે. જેના માટે ગાયત્રી કેસરમાં ગુગળ મિક્સ કરીને ધૂપ આપો. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી લાભ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow