જોફ્રા આર્ચરે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

જોફ્રા આર્ચરે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડ જીતવામાં સફળ રહ્યું હતું. આ વન-ડે મેચમાં જોફ્રા આર્ચરે શાનદાર બોલિંગ કરી અને 9.1 ઓવરમાં 40 રન આપીને 6 વિકેટ લીધી હતી. આર્ચરની ખતરનાક બોલિંગના કારણે જ ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 347 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 287 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડેમાં આ આર્ચરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આર્ચરના કમબેક પછી દુનિયાભરના બેટર્સમાં હલચલ મચી ગઈ છે. આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ બોલર માટે ફોર્મમાં આવવું અન્ય ટીમો માટે પડકારજનક રહેશે.

વસીમ અકરમનો રેકોર્ડ તૂટ્યો
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં 6 વિકેટ લઈને જોફ્રા આર્ચરે 30 વર્ષ જૂનો વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આર્ચર દક્ષિણ આફ્રિકાની ધરતી પર દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ કરનાર બોલર બની ગયો છે. પહેલા આ રેકોર્ડ વસીમ અકરમના નામે હતો. અકરમે 1993માં દક્ષિણ આફ્રિકામાં વન-ડે રમતા 16 રન આપીને 5 વિકેટ લીધી હતી. ભારતના ચહલે દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન-ડેમાં 22 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સિવાય જેમ્સ એન્ડરસન પણ આ યાદીમાં સામેલ છે. 2009માં એન્ડરસને દક્ષિણ આફ્રિકાની ધરતી પર 23 રનમાં 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow