જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પ્રવાસી શ્રમિક પર હુમલો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પ્રવાસી શ્રમિક પર હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત પ્રવાસી શ્રમિકોને નિશાના બનાવ્યા છે. અનંતનાગ જિલ્લાના બોંડિયાલ ગામમાં આતંકવાદીઓએ બે પ્રવાસી શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો. જેનાથી બંને ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

બિહાર અને નેપાળના રહેવાસી હતા શ્રમિકો
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, બંને શ્રમિક એક પ્રાઈવેટ સ્કૂલમાં કામ કરતા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેમની પર હુમલો કર્યો હતો. શ્રમિકો બિહાર અને નેપાળના રહેવાસી હતા. તેઓ બોંડિયાલ ગામમાં SAPS સ્કૂલમાં કામ કરે છે. બંનેની હાલત ગંભીર છે.

પૂંછ સેક્ટરમાં 3 આતંકી માર્યા ગયા
આ હુમલા પહેલા ગુરુવારે સેનાના જવાનોએ પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓએ ઘુસણખોરીના પ્રયત્નો કર્યા હતા. જેના પર સેનાએ કાર્યવાહી કરી, તો આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. તપાસ દરમિયાન સેનાએ પિસ્તોલ, રાઈફલ સાથે હથિયારો જપ્ત કર્યા છે.

પુલવામાના અવંતીપુરામાં મંગળવારે સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર માર્યા છે. તેમાં લશ્કરના કમાન્ડર મુખ્તાર ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જે ઘાટીમાં કાશ્મીર પંડિત અને પ્રવાસીઓ પર હુમલો કરતો હતો. તેની સાથે પુલવામાના સકલેન મુશ્તાક અને પાકિસ્તાની આતંકવાદી મુશ્ફિક પણ માર્યા ગયા છે. સુરક્ષાબળોએ આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આતંકીઓ સુરક્ષા દળોના કેમ્પમાં ફિદાયીન હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલા કૂપવાડામાં એક આતંકી માર્યો ગયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow