જયસ્વાલ-પડ્ડિકલે ફિફ્ટી ફટકારી

જયસ્વાલ-પડ્ડિકલે ફિફ્ટી ફટકારી

રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે, જ્યારે પંજાબ કિંગ્સ રેસમાંથી બહાર છે. સંજુ સેમસનની કેપ્ટનશિપની રાજસ્થાન રોયલ્સે શિખર ધવનની પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું.

ધર્મશાલા મેદાનમાં રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. રાજસ્થાને 188 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.

જયસ્વાલે સિઝનની પાંચમી અડધી સદી 35 બોલમાં ફટકારી
યશસ્વી જયસ્વાલે વર્તમાન સિઝનની તેની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જયસ્વાલની આ આઠમી IPL ફિફ્ટી છે. તેણે 138.88ની સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 50 રન બનાવ્યા હતા.

12 રનના સ્કોર પર બટલરની વિકેટ ગુમાવ્યા બાદ યશસ્વી જયસ્વાલે દેવદત્ત પડ્ડિકલ સાથે બીજી વિકેટ માટે 49 બોલમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. અર્શદીપ સિંહે પડ્ડિકલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

રાજસ્થાન તરફથી શાનદાર શરૂઆત
188 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 57 રન બનાવ્યા હતા. ઓપનર જોસ બટલર ઝીરો પર આઉટ થયો હતો. તેને કાગીસો રબાડાએ LBW આઉટ કર્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow