ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો

ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં ITને દોઢ દિવસ લાગ્યો

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં હાથ ધરેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. તપાસમાં અત્યાર સુધી કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે ઉપરાંત રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં છે. હવાલા એન્ગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. બંગ્લો એટલો આલિશાન હોય તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા હતા. બંગ્લાનો ખુણેખુણો અધિકારીઓ ચકાસી રહ્યા છે.

રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો
ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ફરી એકવાર સોમવારના રોજ દરોડા પાડયા હતા. રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો હતો એટલે અનેક લોકો ઉંઘતા ઝડપાયા હતા. સવારે ટીમ ગોરાટ રોડ પરના ઉમર જનરલના બંગલે પહોંચી હતી. જનરલ ગ્રુપની રીંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.

રોકડમાં થયેલાં વ્યવહારો પણ અધિકારીઓએ શોધી રહ્યાં
તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યુ કે રૂપિયા 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે તથા લોકલ માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થાય છે. ઉપરાંત નિકાસ કરાયેલાં ડેટા પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે. કેટલાંક વ્યવહારો ખાસ કરીને સેલ અને પરચેઝ રોકડમાં થઈ હોવાનું પણ ધ્યાને આવ્યુ છે.

ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યું નહીં
અધિકારીઓ કહે છે કે ઓફિસ અને બેન્કના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ નથી. રોકડ પણ પહેલાં દિવસે કબજે લેવાઈ નથી. વધુ રોકડ ન હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે.

કારો જોઇ અધિકારીઓ પણ ચોંક્યા
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો લકઝુરિયસ કારનો કાફલો બંગ્લાની અંદર જોઇને આઇટી અધિકારીઓ પણ ચોંકયા હતા. 12 જેટલી ગાડીઓ લાઇનમાં ઉભી હતી. ચાર બંગ્લાને એક જ સાથે જોઇન્ટ કરવામાં આવતા તપાસનો એરિયા લંબાઇ ગયો હતો. 12 ગાડીઓની ખરીદીની વિગતો પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow