શિયાળામાં મોજા પહેરીને ઊંઘી જવાની છે ટેવ, થઈ જજો સાવધાન નહીંતર સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે સાબિત

શિયાળામાં મોજા પહેરીને ઊંઘી જવાની છે ટેવ, થઈ જજો સાવધાન નહીંતર સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે સાબિત

શિયાળો આવતા લોકો ઠંડીથી બચવા માટે ઘણા ઉપાય કરે છે. પોતાને ગરમ રાખવા માટે લોકો માથાથી લઇને પગ પણ ઢાંકી રાખે છે. આખો દિવસ ગરમ કપડા પહેર્યા સિવાય અમુક લોકો એવા પણ હોય છે, જે રાત્રે ઊંઘતી સમયે મોજા પહેરીને ઊંઘે છે. ઠંડીમાં પોતાને ગરમ રાખવા માટે મોટાભાગના લોકો આ રીતે ઊંઘવાનુ પસંદ કરે છે. શિયાળામાં મોજા પહેરીને ઊંઘવાથી તમને અવશ્ય ગરમી મળે છે, પરંતુ તેનાથી તમારા હેલ્થને ઘણા નુકસાન પણ થાય છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે.

બ્લડ સર્ક્યુલેશનમાં થાય છે પરેશાની

જો તમે પણ ઊંઘતી સમયે મોજા પહેરો છો, તો તેનાથી તમારા બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની થઇ શકે છે. ખરેખર, ફીટ મોજા પહેરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો અને ધીમો થઇ શકે છે, જેનાથી યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની આવી શકે છે. એવામાં જો તમે રાત્રે મોજા પહેરવા માંગો છો તો પ્રયાસ કરો કે ઢીલા મોજા પહેરો.

વધી શકે છે શરીરનુ તાપમાન

રાત્રે ઊંઘતી સમયે મોજા પહેરવાથી તમારા શરીરનુ તાપમાન પણ વધી શકે છે. જો મોજા પહેરીને ઊંઘતી સમયે હવા યોગ્ય રીતે પાસ થતી નથી તો તેનાથી ઓવરહીટીંગની સમસ્યા થઇ શકે છે. જેના કારણે તમારા માથા પર ગરમી ચઢી શકે છે. જેનાથી તમને બેચેની પણ મહેસૂસ થઇ શકે છે.

હાર્ટ પર પડે છે ખરાબ પ્રભાવ

રાત્રે મોજા પહેરીને ઊંઘવાથી તમારા હૃદય પર પણ ખરાબ પ્રભાવ પડે છે. ખરેખર ફીટ મોજા પહેરવાથી તમારા પગની નસો પર દબાણ આવે છે, જેનાથી તમારા હાર્ટને બ્લડ પંપ કરવામાં વધારે જોર લગાવવુ પડે છે. જેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં પણ સમસ્યા થઇ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow