પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

બ્રાઉન રાઈસ તમારા પેટ માટે છે હાનિકારક

આમ તો ચોખા ખાવા દરેક વ્યક્તિને પસંદ હોય છે. ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે. મોટાભાગના લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે બાસમતી ચોખાનુ સેવન કરે છે.  જો કે, હવે લોકોમાં હેલ્થને લઇને થોડી વધુ ચિંતા થવા લાગી છે તો બ્રાઉન રાઈસની ડિમાન્ડ પણ વધી ગઇ છે. આરોગ્યને થતા નુકસાનના કારણે હવે લોકો ઘરમાં બ્રાઉન રાઈસ ખાવાનુ વધુ પસંદ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે તમારી હેલ્થ માટે બ્રાઉન રાઈસનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક નિવડી શકે છે. બ્રાઉન રાઈસ તમારી પેટ સંબંધી સમસ્યાથી લઇને સ્કિન સુધીમાં કઈ રીતે હાનિકારક થઇ શકે છે.

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને?

જે લોકોને પેટમાં આહાર પચવાની મુશ્કેલી થાય છે તેમણે બ્રાઉન રાઈસ ખાવાથી દૂર રહેવુ જોઈએ. કારણકે બ્રાઉન રાઈસ સરળતાથી ડાઈજેસ્ટ થતા નથી. વ્હાઈટ રાઈસની તુલનાએ બ્રાઉન રાઈસ પચવામાં થોડા મુશ્કેલ હોય છે. જે રીતે આ ચોખાને ખાવાથી પેટ સંબંધી સમસ્યા અથવા કોન્સ્ટિપેશન જેવી મુશ્કેલી થઇ શકે છે. બ્રાઉન રાઈસની અંદર ફાઈટીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને આ તમારા શરીર માટે ફાઈટીક એસિડ હાનિકારક થઇ શકે છે. આ નુકસાન એટલે કરે છે, કારણકે ફાઈટીક એસિડ સરળતાથી શરીરમાં મિનરલ્સને એબ્જોર્બ થવા દેતો નથી. જેના કારણે તમારા શરીરમાં મેગ્નેશિયમ, આયરન, જિન્ક જેવા મિનરલ્સને એબ્જોર્બ થવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન કરવાથી દૂર રહે

જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે ભરપૂર પોષક તત્વોની જરૂર હોય છે. એવામાં જો તમે બ્રાઉન રાઈસનુ સેવન કરી રહ્યાં છો તો આ તમારા માટે વધુ લાભદાયી નથી, કારણકે વ્હાઈટ રાઈસની સરખામણીએ બ્રાઉન રાઈસમાં ફોલિક એસિડ ઓછુ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન ના કરે તો તેમના માટે સારું રહેશે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow