ઇસાબેલ વોંગે ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી

ઇસાબેલ વોંગે ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે ટૂર્નામેન્ટની પહેલી નોકઆઉટ મેચ રમાશે. મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ ગઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 72 રનથી જીતી લીધી હતી. મુંબઈએ વોરિયર્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે યુપી વોરિયર્સ 17.4 ઓવરમાં 110 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી ઇસાબેલ વોંગે હેટ્રિલ લીધી હતી. તેણે જ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. સાઇકા ઈશાકને 2 વિકેટ મળી હતી. તો નેતાલી સીવર બ્રન્ટ, હેલી મેથ્યૂઝ અને જિંતીમની કલિતાને 1-1 વિકેટ મળી હતી. નેતાલી સીવરે ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 72* રન બનાવ્યા હતા. આ જીતની સાથે જ મુંબઈ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેમનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. ફાઈનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે

WPLની પ્રથમ હેટ્રિક વોંગના નામે
મુંબઈની ઇસાબેલ વોંગે વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે 13મી ઓવરના બીજા બોલ પર કિરણ નવગીરેને કેચ આઉટ કરાવી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર સિમરન શેખ અને ચોથા બોલ પર સોફી એક્લેસ્ટોન બોલ્ડ કરી હતી. વોંગે પાવરપ્લેમાં એલિસા હીલીને પેવેલિયન મોકલી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લઈને પોતાના સ્પેલનો અંત કર્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow