આઇએસે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટે કેટલાંક રાજ્યોમાં રોમિંગ ટ્રેનર મોકલ્યા

આઇએસે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટે કેટલાંક રાજ્યોમાં રોમિંગ ટ્રેનર મોકલ્યા

આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ભારતમાં દહેશત ફેલાવવા માટે નવા મોડ્યૂલ અપનાવવા માટેની તૈયારી કરી છે. આ ખુલાસો રાજસ્થાનમાં આઇઇડી મામલામાં આતંકીઓની ધરપકડ બાદ કરાયો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા ( એનઆઇએ) દ્વારા આઇએસના આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ થયો છે.

એજન્સીના સૂત્રોના કહેવા મુજબ નવા મોડ્યૂલને અંજામ આપવા માટે આઇએસે મધ્યપ્રદેશના રતલામમાં બે આતંકીઓને ખાસ ટ્રેનર આપીને વિસ્ફોટક નિષ્ણાત બનાવ્યા છે. ત્યારબાદ તેમને રોમિંગ ટ્રેનર બનાવીને જુદાં જુદાં રાજ્યોમાં મોકલ્યા હતા. આ રોમિંગ ટ્રેનર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને બીજાં રાજ્યોમાં આતંકીઓને આઇઇડી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં વર્ષ 2022માં આઇઇડી બોમ્બ મળ્યો હતો. એજન્સીએ જ્યારે કાવતરાની તપાસ કરી ત્યારે તેની પાછળ આઇએસ સાથે જોડાયેલા સુફા આતંકી સંગઠન અંગે માહિતી મળી હતી. એવી પણ માહિતી મળી કે રાજસ્થાનમાં આઇઇડી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવાના હેતુથી ચિત્તોડગઢમાં કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સુફાની સંડોવણી હતી. જોકે સુરક્ષા સંસ્થાઓ એલર્ટ હોવાના કારણે તેમનાં કાવતરાંનો પર્દાફાશ થઇ ગયો હતો.

મધ્યપ્રદેશના રતલામમાં રહેતા મોહમ્મદ યુનુસ સાકી અને ઇમરાન ખાન ઉર્ફે યુસુફે આઇએસના આતંકીઓની મદદથી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ આ રોમિંગ ટ્રેનર બનીને રાજસ્થાન પહોંચ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow