વારંવાર થતી એલર્જીનું કારણ મોબાઈલ ફોન છે?

વારંવાર થતી એલર્જીનું કારણ મોબાઈલ ફોન છે?

જો તમારા ચહેરા કે શરીરના કોઈ પણ ભાગમાં વારંવાર સ્કિન એલર્જી થઈ રહી છે તો તમારી આ સમસ્યાનું કારણ તમારા મોબાઈલ ફોનનો વધારો પ્રમાણમાં ઉપયોગ હોઈ શકે છે. ચહેરાની સ્કિન પર વારંવાર રેશિઝ થવા, કાનની આસ-પાસ લાલ ચકામા પડવા, ગળા પર અથવા આસ-પાસ બળતરા થવી આ મોબાઈલ ફોનના કારણે થઈ શકે છે.

અનિદ્રાનો પણ થઈ શકો છો શિકાર
આપણે મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને પોતાના માથાની બાજુમાં મુકીને સુઈ જઈએ છીએ તો આ તમારી સ્કીનમાં એલર્જીનું કારણ બની શકે છે સાથે જ તેના ઉપયોગથી અનિદ્રા જેવા રોગો પણ થઈ શકે છે.

શું કહે છે રિસર્ચ?
એક 18 વર્ષીય હાઈસ્કૂલના વિદ્યાર્થી 'હાના રૂરાન' દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં જાણકારી મળી કે આપણા મોબાઈલ ફોન કૂતરા અને બિલાડી જેવા જાનવરોના બેક્ટેરિયાથી ભરેલા હોય છે જે આપણી થતી સ્કિન એલર્જીનું એક મોટુ કારણ છે.

હાના રૂરાન જણાવે છે કે મારો ફોન હંમેશા મારા હાથમાં રહે છે હું મારા ફોનને ખૂબ જ ઓછુ નીચે મુકુ છુ મારે કોઈ કામ પણ કરવું હોય તો ત્યારે મારો ફોન મારા હાથમાં રહે છે અને માને સ્કિન એલર્જીની ગંભીર સમસ્યા છે અને મારી જેમ આમ કરનાર ઘણા લોકો આ દુનિયામાં છે જે એલર્જીની એક ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે.

મોબાઈલને રાખો સાફ
યુનિવર્સિટી ઓફ આયોવાના પ્રોફેસર થોનને કહ્યું છે કે જો તમે એલર્જી અને અસ્થમાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો અને મોબાઈલને હંમેશા પોતાની પાસે રાખો છો તો તમે પોતાના મોબાઈલની સંપૂર્ણ બોડીને દિવસમાં ઘણી વખત સારી રીતે સાફ કરતા રહો.

રિસર્ચની રીત
આ શોધ માટે 15 મોબાઈલ ફોનના મોડલ તૈયાર કરવામાં આવ્યા જે બિલકુલ નોર્મલ મોબાઈલ ફોન જેવા જ હતા 15 અલગ અલગ લોકોએ આ ફોનને લગબગ એક અઠવાડિયા સુધી ચલાવ્યો અને દિવસમાં ઘણા વખત ઈલેક્ટ્રોસ્ટેટિક વાઈપનો ઉપયોગ કરીને તેને સાફ કરી દીધો.

વાઈપથી મળેલા નમુનાથી જ આ શોધના આંકડાને કાઠવામાં આવ્યા. વાઈપમાંથી મળેલા નમૂનાથી સંશોધકોને વીટા-ડી ગ્લૂકેન્સ બેક્ટેરિયાને શોધ્યા જે આપણા શરીરના વાયુમાર્ગને બંધ કરી દે છે.

સ્મપલમાં મળ્યા બેક્ટેરિયા
રૂરાન અને પ્રોફેસર થોન જણાવે છે કે પાલતુ જાનવરોના માલિકોના નમૂનામાંથી તો જાનવરો વાળા બેક્ટેરિયા મળે છે સાથે જ જે લોકોએ જાનવર નથી પાળ્યા તેમના નમૂનામાંથી પણ બેક્ટેરિયા મળ્યા જે ચોંકાવનારા છે.

સંશોધકોએ જણાવ્યું કે મોબાઈલને કોરા કપડાથી સાફ કરવાની જગ્યા પર આપણે ભુનું કપડુ અથવા કોઈ ખાસ પ્રકારના સર્ફેસ ક્લીનરથી સાફ કરવો જોઈએ.

શું કહે છે નિષ્ણાંત?
ન્યૂયોર્ક શહેરમાં એલર્જી ચિકિત્સા નિષ્ણાંત ડૉ. પાયલ ગુપ્તા જણાવે છે કે જો હકીકતે તમે ગંભીર એલર્જીથી પીડિત છો તો તમે ઘરમાં આવતા જ સ્નાન કરી લો અને પોતાના વાળને સારી રીતે ઘોઈ લો જેનાથી એલર્જી તમારા બેડ સુધી ન જઈ શકે.

ડૉ ગુપ્તા કહે છે કે જો તમને ડસ્ટ એલર્જી છે તો તમારે કોરા કપડાની જગ્યા પર ભીના કપડાથી ધૂળ સાફ કરવી જોઈએ. ડસ્ટથી છુટકારો મેળવવા માટે તમે બેડ અને સોફાની ચાદરોને અઠવાડિયામાં એક વખત ગરમ પાણીથી ધોઈ લો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow