કુંડળીમાં 36 ના 36 ગુણ મળવા એ શુભ કે અશુભ? જાણો કેવા લગ્ન રહે છે સફળ

કુંડળીમાં 36 ના 36 ગુણ મળવા એ શુભ કે અશુભ? જાણો કેવા લગ્ન રહે છે સફળ

જ્યારે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે દરેક પરિવારના સભ્યો સૌથી પહેલા કુંડળી મેળવવાની વાત કરે છે. આ માટે છોકરો અને છોકરી બંનેના વર્ણને મેચ કરવામાં આવે છે અને એ પરથી એ જાણવામાં આવે છે એક બંને એકબીજા માટે બન્યા છે કે નહીં. જણાવી દઈએ કે લગ્નની બાબતમાં કુંડળીનું મળવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તેમાં ઘણા લોકો માને છે કે જો કોઈને 36 માંથી 36 ગુણ મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ એવું નથી. કુંડળી મેળવવાના નામે લોકો ફક્ત ગુણો મેળવે છે પણ લગ્ન માટે ફક્ત ગુણો નહીં બીજી વસ્તુઓ પણ જોવી પડે છે. આજે અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

કેટલા પ્રકારના હોય છે ગુણ‌‌ગુણ મેળવવામાં કુલ 8 ગુણો જોવામાં આવે છે અને દરેક ગુણની પોતાની વિશિષ્ટ સંખ્યા હોય છે અને એ અંકનાઆધારે નક્કી કરવામાં આવે છે કે કેટલા ગુણ મળે છે. સૌથી પહેલા જાણીએ કે 8 ગુણ શું છે અને તેમની સંખ્યા શું છે. વર્ણ જેની સંખ્યા 1 છે, વૈશ્ય જેની સંખ્યા 2 છે, તારાની સંખ્યા 3 છે, યોનીની સંખ્યા 4 છે, મિત્રતાના 5 ગુણ, ગણ ના ગુણ 6, ભકૂટ 7 ગુણ, નાડી 8 ગુણ, આ બધા મળીને કુલ 36 ગુણો બને છે.

કેટલા ગુણ મળે તો તેને સારું કહેવાય?

‌‌1. જો કોઈ બે વ્યક્તિના 18 થી ઓછા ગુણો મળે છે એવા લગ્ન સફળ થવાના ચાન્સ ઘણા ઓછા રહે છે

‌‌2. જો કોઈ બે વ્યક્તિના 18 થી 25 ગુણ મળે છે તો તે લગ્ન માટે સારું માનવામાં આવે છે.

‌‌3. આ સિવાય જો કોઈ બે વ્યક્તિના 25 થી 32 ગુણ મળી આવે તો આવા લગ્ન ઘણા સફળ માનવામાં આવે છે

‌‌4. જો કોઈ બે વ્યક્તિના 32 થી 36 ગુણો મળે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

36 ગુણો મળવા એ સફળ લગ્નની નિશાની છે?

‌‌ગુણો મળવા એ કુંડળી મળવાનો એક ખૂબ નાનો ભાગ છે. માત્ર ગુણો મેળવવાથી જ લગ્નજીવનની સફળતા કે નિષ્ફળતા વિશે જાણી શકાતું નથી.  ઘણી વખત એવું જોવા મળે છે કે 36 ના 36 ગુણ મળવા છતાં પણ વ્યક્તિના લગ્ન સફળ નથી થતા કારણ કે ગુણો સિવાય કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ જોવી પડે છે. આ સાથે એ પણ જોવામાં આવે છે કે લગ્ન સ્થળના માલિકની સ્થિતિ શું છે. કુંડળીમાં 7મું ઘર લગ્નનું સ્થાન છે અને કુંડળીના 7મા ઘરથી એ પણ જાણી શકાય છે કે તમારો જીવનસાથી સ્વભાવે કેવો રહેશે.

મંગળ દોષની તપાસ કરવી ખૂબ જરૂરી

‌‌જ્યારે પણ લગ્ન માટે કુંડળી મેળવવાની વાત આવે છે ત્યારે મંગળ દોષની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ચઢતા ઘરથી પહેલા, બીજા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં હોય તો તે વ્યક્તિ માંગલિક કહેવાય છે. એટલે કે જો કોઈ માંગલિક વ્યક્તિ સાથે માંગલિક વગરની વ્યક્તિ લગ્ન કરે છે તો આવા લગ્ન તૂટી જવાની સંભાવના વધારે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow