લીંબડી- સાયલા નજીક અકસ્માતમાં સિંચાઇ વિભાગના ડ્રાઇવરનું મોત

લીંબડી- સાયલા નજીક અકસ્માતમાં સિંચાઇ વિભાગના ડ્રાઇવરનું મોત

લીંબડી અને સાયલા નજીક ચાર દિવસ પૂર્વે કાર ડિવાઇડર સાથે અથડાતા કારચાલક રાજકોટ સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે બે અધિકારીનો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો.

નવલનગરમાં રહેતા અને સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જિતેન્દ્રભાઇ મેરામભાઇ ડાભી ગત તા.23ના બે અધિકારીઓને સરકારી કારમાં બેસાડીને ગાંધીનગર ગયા હતા અને સાંજે ગાંધીનગરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા, કાર લીંબડી અને સાયલા નજીક બોળિયા ગામના પાટિયા પાસે પહોંચી હતી ત્યારે કોઇ કારણસર કારચાલક જિતેન્દ્રભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇ હતી, કારચાલક જિતેન્દ્રભાઇને ગંભીર ઇજા થતાં તેને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સોમવારે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બંને અધિકારીને સામાન્ય ઇજા થઇ હતી.

જિતેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે, પાંચ મહિના પૂર્વે જ જિતેન્દ્રભાઇ કોન્ટ્રાક્ટ બેઝ પર સિંચાઇ વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી પર રહ્યા હતા, યુવાન પુત્રનાં મોતથી ડાભી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મકાનની અગાશી પરથી પટકાતાં ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. મેટોડાના ડાયમંડપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની દીપક પાસવાનની ત્રણ વર્ષની પુત્રી કરિશ્મા ગત તા.23ના મકાનની અગાશીમાં રમતી હતી ત્યારે રમતાં રમતાં નીચે પટકાઇ હતી. બાળકીને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow