ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી

આજના સમયમાં ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગને વજન ઓછો કરવા માટે એક શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. ઘણાં ડોક્ટર્સ પોતાનાં દર્દીઓને આ ડાયટ રુટિન ફોલો કરવાની સલાહ આપે છે. એમ તો તે ઘણા બધા લોકો માટે લાભદાયી સાબિત થાય છે પરંતુ, એક વર્તમાન સ્ટડી મુજબ આ ડાયટનાં કારણે મહિલાઓનાં હોર્મોન પર નકારાત્મક પ્રભાવ પડી શકે.

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે કે IF ડાયટિંગની એક એવી વિધિ છે, જેમાં 24 કલાકને બે ભાગમાં વેચાય છે. આ ફાસ્ટિંગ ભોજનના સમયને સીમિત કરી દે છે. તેને કોઈપણ વ્યક્તિ પોતાની સુવિધા પ્રમાણે ફોલો કરી શકે. તેમાં ‘શું ખાવું’ તેની જગ્યાએ ‘ક્યારે ખાવું’ એ બાબત પર મહત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ ફાસ્ટિંગમાં લોકો દરરોજનાં 12 થી 16 કલાક ફાસ્ટ કરે છે.

અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો મોટાપાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનાં કારણે સ્ત્રીઓમાં થતાં ફેરફારો વિશે જાણ થઈ. આ અભ્યાસમાં મેનોપોઝ પહેલાં અને પછીની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બધી જ મહિલાઓ મોટાપાની શિકાર હતી. 8 અઠવાડિયા સુધી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.

પ્રજનન હોર્મોનની માત્રામાં ઘટાડો નોંધાયો
આ ફાસ્ટિંગ કરતાં ઉમેદવારોએ દરરોજ ફક્ત 4 કલાકની અંદર જ ભોજન કરવાનું. તે પછી તેમનાં બ્લડ સેમ્પલ્સ લઈને હોર્મોન્સની તપાસ કરવામાં આવી હતી. પરિણામોમાં જોવા મળ્યું કે, મહિલાઓનાં એગની ક્વોલિટીને મજબૂત કરનારા ડીહાઈડ્રો એપિયનડ્રોસ્ટેરોન (DHEA)ની માત્રા ઓછી થઈ ગઈ. આ ઘટાડો 14% સુધી નોંધવામાં આવ્યો. મેનોપોઝ પછી એમ પણ એસ્ટ્રોજનની માત્રા એકાએક ઓછી થઈ જાય. જો કે, અભ્યાસ દરમિયાન આ મહિલાઓમાં સેક્સ્યુ્લ ડિસફંકશન કે સ્કિનમાં બદલાવ જોવા ન મળ્યા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow