ઈન્દોર ટેસ્ટ, બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 163 રનમાં ઓલઆઉટ

ઈન્દોર ટેસ્ટ, બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 163 રનમાં ઓલઆઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 75 રની લીડ લીધી હોવાના કારણે ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી સૌથી વધુ ચેતેશ્વર પૂજારાએ બનાવ્યા હતા. તેમણે 142 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 59 રન બનાવ્યા હતા. ખૂબ જ સંભાળીને તેમણે બેટિંગ કરી હતી. પૂજારાએ કરિયરની 35મી ફિફ્ટી ફટકારી હતી. આ પછી શ્રેયસ અય્યરે 26 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નાથન લાયને 8 વિકેટ ઝડપી હતી. તો મેથ્યુ કુહનમેન અને મિચેલ સ્ટાર્કને 1-1 વિકેટ મળી હતી.

બીજા દિવસનું પહેલું સેશન ભારતીય બોલર્સના નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 41 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લીધી હતી. પીટર હેન્ડ્સકોમ્બ 19 રન અને કેમરુન ગ્રીને 21 રન બનાવ્યા હતા. આ સિવાયના લોઅર ઓર્ડરના કોઈપણ બેટર ચાલ્યા નહોતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow