વન-ડેમાં ભારતની સૌથી ખરાબ હાર

વન-ડેમાં ભારતની સૌથી ખરાબ હાર

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે વિશાખાપટ્ટનમના ડો.વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાને 118 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે જ 10.5 ઓવરમાં જ અને 11ની રનરેટથી રમીને ચેઝ કરી લીધો હતો. ઓપનર્સ મિચેલ માર્શ અને ડ્રેવિસ હેડે 121 રન બનાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. મિચેલ માર્શે 36 બોલમાં 66* રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51* રન બનાવ્યા હતા. હવે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

ભારતની વન-ડે ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી ભારતને વન-ડેના ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી છે. બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ 234 બોલ બાકી રહેતા હારી ગઈ હતી. એટલે કે આ ટીમ ઈન્ડિયા વન-ડે ઈતિહાસની સૌથી મોટી હાર છે. અગાઉનો રેકોર્ડ 212 બોલનો હતો. ન્યૂઝીલેન્ડે 2019માં હેમિલ્ટનમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ટીમ છઠ્ઠી વખત 10 વિકેટથી હારી છે.

11 ઓવરમાં 5 બોલર બદલ્યા, પરંતુ કોઈ વિકેટ ન મળી
117 રનના સ્કોરને ડિફેન્ડ કરવા ઉતરેલા ભારતીય બોલર્સ બિનઅસરકારક સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ 121 રનમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. 11 ઓવરની ઓસ્ટ્રેલિયન ઇનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 5 બોલર બદલ્યા, પરંતુ એકપણ ના મળી. રોહિતને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ઓવર્સ મળી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow