ભારતની વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત

ભારતની વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ટીમ છેલ્લે 2003માં ડરબનના મેદાન પર 82 રને જીતી હતી.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. 230 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બોલિંગ સામે ઇંગ્લિશ બેટર્સ પાણીમાં બેસેલા જોવા મળ્યા હતા. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ 3 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.

પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડની બેટિંગ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો. કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બોલિંગ ચાલુ રાખી હતી. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કુલ 34.5 ઓવરમાંથી રોહિતે ફાસ્ટ બોલરો તરફથી 19.5 ઓવર ફેંકી હતી.

આ દરમિયાન કુલદીપ અને જાડેજાએ મિડલ ઓર્ડરના બેટર્સને આઉટ કર્યા હતા. ત્યારબાદ શમી-બુમરાહે ટેલલેન્ડર્સને આઉટ કર્યા. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લી 24 ઓવરમાં 89 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો કોઈ બેટર્સ 30+ રન બનાવી શક્યો નહોતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow