ભારતની વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત

ભારતની વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ટીમ છેલ્લે 2003માં ડરબનના મેદાન પર 82 રને જીતી હતી.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. 230 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બોલિંગ સામે ઇંગ્લિશ બેટર્સ પાણીમાં બેસેલા જોવા મળ્યા હતા. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ 3 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.

પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડની બેટિંગ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો. કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બોલિંગ ચાલુ રાખી હતી. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કુલ 34.5 ઓવરમાંથી રોહિતે ફાસ્ટ બોલરો તરફથી 19.5 ઓવર ફેંકી હતી.

આ દરમિયાન કુલદીપ અને જાડેજાએ મિડલ ઓર્ડરના બેટર્સને આઉટ કર્યા હતા. ત્યારબાદ શમી-બુમરાહે ટેલલેન્ડર્સને આઉટ કર્યા. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લી 24 ઓવરમાં 89 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો કોઈ બેટર્સ 30+ રન બનાવી શક્યો નહોતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow