આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ કેપ્ટન

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ કેપ્ટન

18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. લગભગ એક વર્ષ બાદ ઈજામાંથી પરત ફરી રહેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે કારણ કે જસપ્રીત બુમરાહ તેની સાથે વાપસી કરી રહ્યો છે. ભારતીય ટીમને આવતા મહિને એશિયા કપ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં જો બુમરાહ ફોર્મ સાથે વાપસી કરશે તો ટીમ મજબૂત બનશે.

ભારતીય સિલેક્ટર્સે આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા લગભગ તમામ સિનિયર્સને આરામ આપ્યો છે, જ્યારે તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા IPL સ્ટાર્સને ટીમમાં તક આપવામાં આવી છે. આ તમામે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બુમરાહ 10 મહિના બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે
જસપ્રીત બુમરાહ લગભગ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. પીઠની ઈજા બાદ તે NCAમાં રિહેબિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી પણ કરાવી હતી. બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow